who is Annapurna Devi: કોણ છે અન્નાપૂર્ણા દેવી? જાણો કેન્દ્રીય મંત્રીની સફર
who is Annapurna Devi, Annapurna Devi Biography in Gujarati: ઝારખંડથી આવેલા અન્નપૂર્ણા દેવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેબિનેટ 3.0 માં કેન્દ્રીય મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ભાજપે તેમને શિક્ષણ રાજ્યમંત્રી બનાવ્યા હતા. આ વખતે વિશ્વાસ વ્યક્ત કરતા તેમને કેન્દ્રીય મંત્રી બનાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, કોડરમાથી અન્નપૂર્ણા દેવી બીજી વખત જીત્યા છે.
55 વર્ષની ગૃહિણી અન્નપૂર્ણા દેવીનું કેબિનેટ મંત્રી બનવું ચર્ચાનો વિષય છે. અન્નપૂર્ણા દેવીનું પૂરું નામ અન્નપૂર્ણા દેવી યાદવ છે. અન્નપૂર્ણા દેવી ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષોમાંથી એક છે. અન્નપૂર્ણા દેવી અગાઉ રાષ્ટ્રીય જનતા દળમાં હતા. ત્યાર બાદ તેઓ ભાજપમાં જોડાયા હતા.
અન્નપૂર્ણા દેવીની રાજકીય કારકિર્દી - Annapurna Devi Biography in Gujarati - અન્નપૂર્ણા દેવીની રાજકીય સફર 1998માં શરૂ થઈ હતી, જ્યારે તેમના પતિ રમેશ યાદવનું અચાનક અવસાન થયું હતું. જે આરજેડી ધારાસભ્ય હતા. આ ઘટનાએ તેમને રાજકારણમાં ધકેલી દીધા અને તેઓ રાજકારણના દાવ-પેચ શીખી ગયા હતા.
અન્નપૂર્ણા દેવીનો શરૂઆતમાં તેમના પતિના મૃત્યુ પછી રાજકારણમાં આવવાનો કોઈ ઈરાદો ન હતો, પરંતુ 1998માં જ્યારે તેઓ વિધાનસભા પેટાચૂંટણીમાં જીત્યા ત્યારે પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી. તેઓ બિહાર વિધાનસભાના સભ્ય બન્યા અને આરજેડી સરકારમાં ખાણ અને ભૂસ્તર વિજ્ઞાન રાજ્ય મંત્રી હતા.
આરજેડીમાં અન્નપૂર્ણા દેવીનો રાજકીય પ્રભાવ ઘણો વધી ગયો હતો. તેમણે 2005 થી 2014 દરમિયાન ઝારખંડ વિધાનસભામાં બે ટર્મ સેવા આપી હતી. 2012 માં, તેઓ સિંચાઈ, મહિલા અને બાળ કલ્યાણ અને નોંધણીના પોર્ટફોલિયો ધરાવતા ઝારખંડમાં કેબિનેટ મંત્રી તરીકે નિયુક્ત થયા હતા.

શા માટે અન્નપૂર્ણા દેવી RJD છોડીને BJPમાં જોડાયા? - 2019ની લોકસભા ચૂંટણી પહેલા અન્નપૂર્ણા દેવી અચાનક ભાજપમાં જોડાઈ ગઈ હતી. કોડરમાથી ચૂંટણી લડતી વખતે, તેમણે બાબુલાલ મરાંડીને 4.55 લાખ મતોના માર્જિનથી હરાવીને ઐતિહાસિક જીત નોંધાવી હતી, આ જીત પણ વડાપ્રધાન મોદી અને ભાજપના ટોચના નેતાઓના પ્રચારને કારણે હતી.
શા માટે અન્નપૂર્ણા દેવીને મંત્રી બનાવવામાં આવ્યા? - મોદી સરકારમાં અન્નપૂર્ણા દેવીના સમાવેશને ઓબીસી વોટ બેંકને મજબૂત કરવાના વ્યૂહાત્મક પગલા તરીકે જોવામાં આવી રહ્યું છે. ઓબીસીમાં તેમનો પ્રભાવ કોડરમાથી આગળ સમગ્ર ઝારખંડ રાજ્યમાં ફેલાયેલો છે. ઝારખંડની વસ્તીમાં ઓબીસીનો હિસ્સો 45 ટકાથી વધુ છે, જે તેમને એક મહત્વપૂર્ણ રાજકીય વ્યક્તિ બનાવે છે.
તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં અન્નપૂર્ણા દેવીએ CPI(ML) LK વિનોદ કુમાર સિંહને 3.77 લાખ મતોના માર્જિનથી હરાવીને કોડરમા બેઠક જાળવી રાખી હતી. આ જીતે ભાજપમાં તેમનું સ્થાન વધુ મજબૂત કર્યું હતું, અને ઝારખંડના રાજકારણમાં તેમનો વધતો પ્રભાવ દર્શાવ્યો હતો.
અન્નપૂર્ણા દેવી કેટલી શિક્ષિત છે? - 2 ફેબ્રુઆરી 1970 ના રોજ દુમકા, ઝારખંડમાં જન્મેલી અન્નપૂર્ણા દેવીએ રાંચી યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી મેળવી હતી, તેમના પતિના મૃત્યુ બાદ, ગૃહ અને રાજકારણ બંને સંભાળીને કેન્દ્રીય મંત્રી બનવાની તેમની સફર નોંધપાત્ર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારમાં અન્નપૂર્ણા દેવીનો સમાવેશ પણ વિધાનસભા ચૂંટણી પહેલા OBC વોટ બેંકને સુરક્ષિત કરવા માટે ભાજપની ચાલ દર્શાવે છે.
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ










Click it and Unblock the Notifications
