કોણ છે ડો.ગુરવીન કૌર? જેની સાથે પંજાબના મંત્રી ગુરમીત સિંહ લગ્ન કરવા જઈ રહ્યા છે?
પંજાબમાં સરકાર બન્યા બાદ મુખ્યમંત્રી ભગવંત માન અને શિક્ષણમંત્રી હરજોત સિંબ બેન્સે લગ્ન કર્યા હતા. હવે પંજાબના વધુ એક મંત્રી લગ્ન કરવા જઈ રહ્યા છે.
પંજાબ સરકારના રમતગમત મંત્રી ગુરમીત સિંહ મીત હેયર લગ્ન કરવા જઈ રહ્યા છે. ગુરમીત સિંહ મીત હૈર 7 નવેમ્બરે ચંદીગઢમાં ઉત્તર પ્રદેશના મેરઠના રેડિયોલોજિસ્ટ ડૉ. ગુરવીન કૌર સાથે લગ્ન કરશે. લગ્નના બીજા દિવસે ચંડીગઢ પાસેના કરરોન ગામમાં યોજાશે રિસેપ્શન યોજાશે.

ગુરમીત સિંહ મીત હૈયર બરનાલાથી આમ આદમી પાર્ટીના બીજી વખતના ધારાસભ્ય છે. તે શિક્ષણ મંત્રાલય સંભાળી ચુક્યા છે. તે બાદ તેમને રમતગમત, પર્યાવરણ અને ખાણકામ મંત્રી બનાવવામાં આવ્યા હતા.
હાલમાં ગુરમીત સિંહ મીત હેયર રમતગમત મંત્રી છે. ગુરમીત સિંહ એક ખેલાડી છે. તેમની લાઈફ પાર્ટનર બનવા જઈ રહેલી ડૉ.ગુરવીન કૌર ઉત્તર પ્રદેશના મેરઠના રહેવાસી છે. ગુરવીન કૌર વ્યવસાયે ડોક્ટર છે.
ડૉ. ગુરવીન કૌર રેડિયોલોજીસ્ટ છે અને દિલ્હીની એક ખાનગી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરે છે. ગુરવીન કૌરનો પરિવાર પશ્ચિમી પંજાબથી આવ્યો હતો અને ભારત-પાકિસ્તાનના ભાગલા દરમિયાન મેરઠમાં સ્થાયી થયો હતો.
ડૉ. ગુરવીન કૌરના પિતા ભૂપેન્દ્ર સિંહ બાજવા ભારતીય ઓલિમ્પિક સંઘના અધિકારી છે. તે હાલમાં યોજાયેલી હેંગઝોઉ એશિયન ગેમ્સ માટે દેશના શેફ ડી મિશન પણ હતા. તે વુશુ એસોસિએશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ પણ છે.
જણાવી દઈએ કે 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેના શાનદાર પ્રદર્શન બાદ આમ આદમી પાર્ટીએ પંજાબમાં સત્તા સંભાળ્યા પછી મીત હેયર પદ પર રહીને લગ્ન કરનાર ત્રીજા મંત્રી હશે. ગયા વર્ષે મુખ્યમંત્રી ભગવંત માને ડૉ. ગુરપ્રીત કૌર સાથે લગ્ન કર્યા હતા. આ વર્ષે કેબિનેટ મંત્રી હરજોત સિંહ બેન્સે IPS ઓફિસર જ્યોતિ યાદવ સાથે લગ્ન કર્યા છે.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
