WHOની ચેતવણી, કહ્યું- કોરોનાના ઈલાજ માટે Remdesivirનો ઉપયોગ ના કરશો
WHOની ચેતવણી, કહ્યું- કોરોનાના ઈલાજ માટે Remdesivirનો ઉપયોગ ના કરશો
જીનિવાઃ આખું વિશ્વ કોરોના મહામારી સામે જંગ લડી રહ્યું છે, એવામાં સૌકોઈને બસ કોરોનાની વેક્સીનનો ઈંતેજાર છે, આ દરમ્યાન ઘણી બધી દવાઓ કોરોનાના ઈલાજને લઈ ચર્ચામાં આવી છે, એવી જ એક દવાનું નામ છે રેમડેસિવિર (Remdesivir), જેને લઈ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન WHO એ ચેતવણી આપી છે. ડબલ્યૂએચઓએ લોકોને સાવધાન કરતા કહ્યું કે રેમડેસિવિર દવા કોરોનાના દર્દીઓ પર અસર કરી રહી હોવાના કોઈ પ્રમાણ નથી મળ્યાં માટે કોરોનાના દર્દીઓ પર આ દવાનો પ્રયોગ કરવો ના જોઈએ. કેમ કે આ દવાની ઘણી સાઈડ ઈફેક્ટ્સ પણ છે, જે કમજોર દર્દીને નુકસાન પહોંચાડી શકે છે.

સમાચાર એજન્સી સિન્હુઆમાં છપાયેલ રિપોર્ટમાં ડબલ્યૂએચઓની ગાઈડલાઈન ડેવલપમેન્ટ ગ્રુપે કહ્યું કે શોધ દરમ્યાન રેમડેસિવિર દવા કોરોના સંક્રમિત દર્દીઓ માટે યોગ્ય હોય અથવા તો મૃત્યુદર ઘટાડવામાં મદદરૂપ થઈ શકે તેવાં કોઈ પરિણામ મળ્યાં નથી. 7000 હોસ્પિટલમાં થઈ રહેલ ઈલાજના 4 ટ્રાયલ બાદ તેમણે આ વાત કહી છે.
ઈબોલાના ઈલાજ માટે રેમડેસિવિર વિકસિત કરાઈ હતી
જણાવી દઈએ કે રેમડેસિવિરને ઈબોલાના ઈલાજ માટે વિકસિત કરવામાં આવી હતી. કોરોના મહામારી આવ્યા બાદથી આ દવા સતત ચર્ચામાં રહી છે. પહેલાં કેટલાય ડૉક્ટર્સે એમ કહીને આ દવાના ઉપયોગ પર પૂર્ણવિરામ લગાવી દીધો હતો કે આ દવાના ઉપયોગથી દર્દી પર કોઈ ખાસ ફરક નથી પડતો. પરંતુ બાદમાં એફડીએ દ્વારા ઈમર્જન્સીની સ્થિતિમાં આ દવાના ઉપયોગની મંજૂરી આપી દેવામાં આવી હતી. હાલ ડબલ્યૂએચઓના આ નિવેદન બાદ આ દવા પર ફરીથી ડિબેટ શરૂ થઈ ગઈ છે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર





Click it and Unblock the Notifications
