ભારતમાં અત્યાર સુધી આપવામાં આવ્યો વેક્સીનનો 76 કરોડથી વધુ ડોઝ, WHOએ જાહેર કર્યા દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશોના આંક
ભારતમાં કોરોના વેક્સીનેશન પ્રોગ્રામની હવે વિશ્વ આરોગ્ય સંગઠને પણ પ્રશંસા કરી છે.
નવી દિલ્લીઃ ભારતમાં કોરોના વેક્સીનેશન પ્રોગ્રામની હવે વિશ્વ આરોગ્ય સંગઠને પણ પ્રશંસા કરી છે. WHOના જણાવ્યા મુજબ ભારતમાં અત્યાર સુધી 76 કરોડથી વધુ વેક્સીનનો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે જેમાં પહેલો અને બીજો ડોઝ શામેલ છે. સાથે જ WHOનુ કહેવુ છે કે તેનાથી સંબંધિત દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશોમાં 1 બિલિયનથી વધુ કોરોના વેક્સીનનો ડોઝ લગાવવામાં આવી ચૂક્યો છે. વિશ્વ આરોગ્ય સંગઠનના આ આંકડા કોરોના સંક્રમણને ખતમ કરવાની દિશામાં રાહત આપનારા છે.
ભારતમાં થઈ રહ્યુ છે રેકૉર્ડ વેક્સીનેશન
તમને જણાવી દઈએ કે હવે ભારતમાં રોજ વેક્સીનેશનના નવા રેકૉર્ડ બની રહ્યા છે. શરૂઆતમાં ધીમી ગતિ સાથે શરુ થયેલુ રસીકરણ અભિયાન હવે ગતિ પકડી ચૂક્યુ છે જેનુ પરિણામ એ છે કે ભારત હવે વેક્સીનેશન પ્રોગ્રામના કેસોમાં સૌથી આગળ છે અને દુનિયાના 18 મોટા દેશ પણ ભારતની પાછળ છે. ભારતમાં રોજના સરેરાશ 80 લાખ 54 હજારથી વધુ વેક્સીનનો ડોઝ લગાવવામાં આવી રહ્યા છે જ્યારે 18 મોટા દેશોના મલીને આ આંકડો 80 લાખ 17 હજાર છે. WHOના જણાવ્યા મુજબ ભારતમાં કાલ સુધી 76,57,17,137 લોકો સંપૂર્ણપણે વેક્સીનેટ થઈ ચૂક્યા છે.
સંભવિત ત્રીજી લહેર વચ્ચે રેકૉર્ડ વેક્સીનેશન
તમને જણાવી દઈએ કે ભારતમાં કોરોનાની ત્રીજી લહેરનુ જોખમ સતત મંડરાઈ રહ્યુ છે એક્સપર્ટે આવતા ત્રણ મહિનાની અંદર ત્રીજી લહેર આવવાની સંભાવના વ્યક્ત કરી છે જેમાં બાળકો માટે વધુ જોખમ છે. દેશમાં હજુ બાળકોનુ રસીકરણ નથી થઈ રહ્યુ માટે સરકારની કોશિશ છે કે વયસ્ક વસ્તીને વધુમાં વધુ વેક્સીનેટ કરીને બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય માટે ભારત સરકારે 21 જૂનથી વેક્સીનેશનના સંચાલનની જવાબદારી પોતાના હાથમાં લઈ લીધી હતી. ભારતમાં સારી વાત એ પણ છે કે હવે રસીકરણની વધુ સંખ્યા ગ્રામીણ વિસ્તારોમાં સામે આવી રહી છે.