દિલ્લીના નવા મુખ્યમંત્રી કોણ હશે? પ્રેસ કૉન્ફરન્સમાં AAP નેતા સૌરભ ભારદ્વાજે આપ્યો જવાબ
Delhi CM Arvind Kejriwal News: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સીએમ પદ પરથી રાજીનામું આપવાના છે. તિહાર જેલમાંથી બહાર આવ્યા બાદ, 15 સપ્ટેમ્બર, રવિવારના રોજ, કેજરીવાલે જાહેરાત કરી કે તેઓ બે દિવસમાં સીએમ પદ પરથી રાજીનામું આપી દેશે. તે પછી દિલ્હીના સીએમ કોઈ નવા જ હશે. આવી સ્થિતિમાં સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે દિલ્હીના આગામી નવા મુખ્યમંત્રી કોણ હશે?
સોમવારે આમ આદમી પાર્ટી (AAP) નેતા સૌરભ ભારદ્વાજ અરવિંદ કેજરીવાલના નિર્ણય પર પ્રેસ કૉન્ફરન્સ કરવા આવ્યા ત્યારે દિલ્હીના આગામી સીએમ અંગે તેમણે કહ્યું કે, આ અંગે તમારી પાસે જેટલી માહિતી છે તેટલી જ માહિતી મારી પાસે છે. તેમણે કહ્યું કે કેજરીવાલના રાજીનામા બાદ જ ધારાસભ્ય દળની બેઠક યોજાશે.

સૌરભ ભારદ્વાજે કહ્યું કે દિલ્હીની જનતા કેજરીવાલને ફરીથી સીએમ બનાવશે. દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને કેજરીવાલ આજે બેઠક યોજવા જઈ રહ્યા છે, જેમાં મુખ્યમંત્રીના નવા ચહેરાને લઈને નિર્ણય લેવામાં આવશે.
AAP નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું, "ઇતિહાસમાં એવું ક્યારેય બન્યું નથી કે જેલમાંથી બહાર આવ્યા પછી કોઈ વર્તમાન મુખ્યમંત્રી પોતે જ જાહેરાત કરે કે જો તમે મને પ્રમાણિક માનતા હો તો મને મત આપો. દેશની આ પહેલી ચૂંટણી હશે જેમાં કોઈ મુખ્યમંત્રી કહી રહ્યા છે કે આ ચૂંટણી ઈમાનદારીના નામે લડવામાં આવશે અને તે પણ એવા સમયે, જ્યારે દેશની કેન્દ્ર સરકાર, ઈડી, સીબીઆઈ, ઈન્કમટેક્સ સહિત તમામ એજન્સીઓ તે મુખ્યમંત્રીની પાછળ પડી છે અને તેમને બદનામ કરવામાં કોઈ કસર બાકી નથી રાખી રહી.
સૌરભ ભારદ્વાજે કહ્યું, "ભારતીય જનતા પાર્ટીએ 2 વર્ષમાં ગમે તેટલું કર્યું હોવા છતાં, મુખ્ય પ્રધાનને હજી પણ તેમના લોકો અને તેમની પ્રામાણિકતામાં વિશ્વાસ છે. દિલ્હીના લોકો એટલા ઉત્સુક છે કે ફરીથી ચૂંટણી થાય અને તેઓ વોટ આપીને અરવિંદને કેજરીવાલને ફરીથી મુખ્યમંત્રી બનાવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
