દિલ્લીના નવા મુખ્યમંત્રી કોણ હશે? પ્રેસ કૉન્ફરન્સમાં AAP નેતા સૌરભ ભારદ્વાજે આપ્યો જવાબ
Delhi CM Arvind Kejriwal News: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સીએમ પદ પરથી રાજીનામું આપવાના છે. તિહાર જેલમાંથી બહાર આવ્યા બાદ, 15 સપ્ટેમ્બર, રવિવારના રોજ, કેજરીવાલે જાહેરાત કરી કે તેઓ બે દિવસમાં સીએમ પદ પરથી રાજીનામું આપી દેશે. તે પછી દિલ્હીના સીએમ કોઈ નવા જ હશે. આવી સ્થિતિમાં સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે દિલ્હીના આગામી નવા મુખ્યમંત્રી કોણ હશે?
સોમવારે આમ આદમી પાર્ટી (AAP) નેતા સૌરભ ભારદ્વાજ અરવિંદ કેજરીવાલના નિર્ણય પર પ્રેસ કૉન્ફરન્સ કરવા આવ્યા ત્યારે દિલ્હીના આગામી સીએમ અંગે તેમણે કહ્યું કે, આ અંગે તમારી પાસે જેટલી માહિતી છે તેટલી જ માહિતી મારી પાસે છે. તેમણે કહ્યું કે કેજરીવાલના રાજીનામા બાદ જ ધારાસભ્ય દળની બેઠક યોજાશે.

સૌરભ ભારદ્વાજે કહ્યું કે દિલ્હીની જનતા કેજરીવાલને ફરીથી સીએમ બનાવશે. દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને કેજરીવાલ આજે બેઠક યોજવા જઈ રહ્યા છે, જેમાં મુખ્યમંત્રીના નવા ચહેરાને લઈને નિર્ણય લેવામાં આવશે.
AAP નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું, "ઇતિહાસમાં એવું ક્યારેય બન્યું નથી કે જેલમાંથી બહાર આવ્યા પછી કોઈ વર્તમાન મુખ્યમંત્રી પોતે જ જાહેરાત કરે કે જો તમે મને પ્રમાણિક માનતા હો તો મને મત આપો. દેશની આ પહેલી ચૂંટણી હશે જેમાં કોઈ મુખ્યમંત્રી કહી રહ્યા છે કે આ ચૂંટણી ઈમાનદારીના નામે લડવામાં આવશે અને તે પણ એવા સમયે, જ્યારે દેશની કેન્દ્ર સરકાર, ઈડી, સીબીઆઈ, ઈન્કમટેક્સ સહિત તમામ એજન્સીઓ તે મુખ્યમંત્રીની પાછળ પડી છે અને તેમને બદનામ કરવામાં કોઈ કસર બાકી નથી રાખી રહી.
સૌરભ ભારદ્વાજે કહ્યું, "ભારતીય જનતા પાર્ટીએ 2 વર્ષમાં ગમે તેટલું કર્યું હોવા છતાં, મુખ્ય પ્રધાનને હજી પણ તેમના લોકો અને તેમની પ્રામાણિકતામાં વિશ્વાસ છે. દિલ્હીના લોકો એટલા ઉત્સુક છે કે ફરીથી ચૂંટણી થાય અને તેઓ વોટ આપીને અરવિંદને કેજરીવાલને ફરીથી મુખ્યમંત્રી બનાવશે.
-
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
IND vs NZ Final: ક્યારે, ક્યાં અને કેટલા વાગ્યે શરૂ થશે ફાઈનલ મેચ, નોંધી લો તારીખ અને સમય -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં હીટવેવનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત -
Western Railway: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે બે સ્પેશિયલ ટ્રેન, જાણો સંપૂર્ણ વિગત -
Gujarat News: CM ભૂપેન્દ્ર પટેલે ‘કવાંટ ગેર મેળા’ની ટપાલ ટિકિટનું કર્યું અનાવરણ -
અમેરિકાએ ભારતને આપી ભેટ! આટલા દિવસો સુધી રશિયા પાસેથી ખરીદી શકશે તેલ, Hormuzનું ટેન્શન ખતમ -
Gold Rate Today: યુદ્ધ વચ્ચે ભારતમાં સોનું સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 7 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IND vs NZ Final: અમદાવાદમાં ફાઈનલ જોવા પહોંચશે PM મોદી? સવા લાખ દર્શકો સાથે વધારશે ટીમનો ઉત્સાહ! -
Petrol Diesel Price: 6 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
