For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સંસદ પવિત્ર છે તો IPL પાપ લીગ કેમ? : સિદ્ધૂ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 17 મે : પૂર્વ ભારતીય ક્રિકેટર અને અમૃતસરથી બીજેપીના હાલના સાંસદ નવજોત સિંહ સિદ્ધૂએ ઇન્ડિયન પ્રીમિયર લીગને પાપ લીગ કહેવા પર વાંધો ઉઠાવ્યો છે. નવજોત સિંહ સિદ્ધૂએ આઇપીએલને પાપ લીગ કહેવા પર સવાલ ઉઠાવતા જણાવ્યું કે જો આટલા બધા ઘોટાળા અને વિવાદો બાદ સંસદ પવિત્ર છે તો આઇપીએલ કેવી રીતે પાપ લીગ હોઇ શકે.

સિદ્ધૂએ માઇક્રો બ્લોગિંગ વેબસાઇટ ટ્વિટર પર ટ્વિટ કર્યું છે કે 'આટલા બધા ગોટાળા અને વિવાદો બાદ પણ સંસદ પવિત્ર છે તો આઇપીએલ પાપ લીગ કેમ?' નોંધનીય છે કે આઇપીએલના હાલના સિઝનમાં ત્રણ ખેલાડીઓના નામ સ્પોટ ફિક્સિંગમાં આવવાથી મીડિયામાં આ પ્રકારના વાક્યો સામે આવ્યા છે.

navjot sidhu
અત્રે ઉલ્લેખનીય છે કે આઇપીએલ સ્પોટ ફિક્સિંગમાં રાજસ્થાન રોયલ્સના 3 ખેલાડીયો શ્રીસંત, અજીત ચંડીલા અને અંકિત ચૌહાણની ધરપકડ બાદ આઇપીએલને બંધ કરવાની માંગ તૂત પકડવા લાગી છે. પોતાની રમતથી દેશના એક અરબ લોકોનું મનોરંજન પૂર પાડનાર ક્રિકેટર જો આવી રીતે મોઢું કાળું કરી ફરશે તો સમજવું કે મોટું સંકટ છે.

તાજેતરમાં મળી રહેલા સમાચાર અનુસાર શ્રીસંત અને અંકિત ચૌહાણે પોતાના ગૂના કબૂલી લીધા છે. અને જણાવ્યું હતું કે તેમનાથી બહુ મોટી ભૂલ થઇ ગઇ છે. તેમને બુકીઝે ફસાવ્યા છે.

English summary
In spite of all the scandals, betrayals & controversies, if the Parliament can still be sacrosanct, why call the IPL ‘Paap League’ said Navjot singh sidhu on twitter.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X