શા માટે રાયબરેલીથી ચૂંટણી લડી રહ્યા છે રાહુલ ગાંધી? જાણો સંપૂર્ણ ગણિત
Rae Bareli Lok sabha Election: લાંબી રાહ જોયા બાદ આખરે કોંગ્રેસે રાયબરેલી અને અમેઠી બંને સીટો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. મોટો જુગાર રમીને કોંગ્રેસ પાર્ટીએ રાહુલ ગાંધીને અમેઠીને બદલે રાયબરેલીથી ટિકિટ આપી છે. જ્યારે અમેઠીથી કિશોરી લાલ શર્માને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
રાયબરેલીને કોંગ્રેસ પાર્ટીનો ગઢ કમાંહેવા આવે છે, અને પાર્ટીની સૌથી સુરક્ષિત બેઠક છે. આઝાદી પછી, આજ સુધી પાર્ટીને રાયબરેલીમાં માત્ર એક જ વાર હારનો સામનો કરવો પડ્યો છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ પાર્ટીએ રાહુલ ગાંધીને સૌથી સુરક્ષિત બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે.
ગત લોકસભા ચૂંટણીમાં જે રીતે રાહુલ ગાંધીને અમેઠીથી સ્મૃતિ ઈરાનીના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો, પાર્ટી કોઈપણ પ્રકારનું જોખમ લેવા માંગતી નથી. આ જ કારણ છે કે, આ વખતે રાહુલ ગાંધીને રાયબરેલીથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે, જ્યાંથી સોનિયા ગાંધી વર્તમાન સાંસદ છે.

કોંગ્રેસ માટે વિશ્વસનીયતાની લડાઈ - અમેઠીમાં સ્મૃતિ ઈરાની સામે જે રીતે રાહુલ ગાંધીને ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો, તે પછી પાર્ટી ફરી એક વાર એવું જોખમ લેવા માંગતી નથી કે, રાહુલ ગાંધી ફરીથી સ્મૃતિ ઈરાની સામે ચૂંટણીમાં હારનો સામનો કરે. કોંગ્રેસ પાર્ટી અમેઠીમાં તેની બાકી રહેલી વિશ્વસનીયતા બચાવવા માંગે છે, તેથી તે કોઈપણ પ્રકારનું જોખમ લેવા માંગતી નથી.
આવી સ્થિતિમાં પાર્ટીએ મોટો જુગાર રમતા ગાંધી પરિવારના નજીકના કિશોરી લાલ શર્માને સ્મૃતિ ઈરાની સામે મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસ પાર્ટીએ રાહુલ ગાંધીને પોતાની વારસાગત સીટ રાયબરેલીથી ઉમેદવાર બનાવ્યા છે. આવી સ્થિતિમાં વધુ એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે સોનિયા ગાંધી આ વખતે ચૂંટણી નહીં લડે.
કિશોરી લાલ શર્મા - મોટી દાવ કોંગ્રેસે અમેઠીમાં કિશોરી લાલ શર્મા સાથે મોટી દાવ રમી છે. જો ગાંધી પરિવારના નજીકના કિશોરી લાલ શર્મા અમેઠીમાં સ્મૃતિ ઈરાનીને હરાવે છે, તો તે કોંગ્રેસ માટે મોટી જીત હશે.
કિશોરી લાલની જીત એક મોટો સંદેશ આપશે કે, કોંગ્રેસ પાર્ટીના સામાન્ય કાર્યકર્તાએ સ્મૃતિ ઈરાનીને હરાવ્યા છે. તેથી, ભાજપ માટે આ શરમજનક સ્થિતિ હશે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે, ભાજપ અમેઠી અને રાયબરેલી બંને બેઠકો પર પોતાની સંપૂર્ણ તાકાતનો ઉપયોગ કરશે.
સોનિયા ગાંધી 1999થી સતત રાયબરેલીથી સાંસદ છે. પાર્ટી અહીંથી સતત ચૂંટણી જીતી રહી છે. આ સીટ આઝાદીથી કોંગ્રેસ પાર્ટી પાસે છે. જોકે, 1977માં જનતા પાર્ટીના રાજ નારાયણે અહીંથી ઈન્દિરા ગાંધીને હરાવ્યા હતા, પરંતુ કોંગ્રેસના ઉમેદવાર અહીં 15 વખત જીત્યા છે.
શું રાહુલને રાયબરેલીથી મેદાનમાં ઉતારવો જરૂરી છે? - જે રીતે રાહુલ ગાંધીને અમેઠીને બદલે રાયબરેલીથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે, તે પાર્ટી તરફથી એક મોટું પગલું નહીં પણ મજબૂરી ગણાશે. કોંગ્રેસ કોઈ પણ સંજોગોમાં રાહુલ ગાંધીને પરંપરાગત બેઠક પરથી હારનો સામનો ન કરે તેવું ઈચ્છશે. આ જ કારણ છે કે આ વખતે તેમને સુરક્ષિત વિકલ્પ તરીકે રાયબરેલીથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
રાહુલ અમેઠીથી હારી ગયા ચૂંટણી - 2004 થી 2014 ની વચ્ચે રાહુલ ગાંધીએ અમેઠી લોકસભા સીટ પર ત્રણ વખત જીત મેળવી હતી. જોકે, 2014માં સ્મૃતિ ઈરાનીને રાહુલ ગાંધીએ હાર આપી હતી. પરંતુ 2019માં રાહુલ ગાંધીને અહીંથી હારનો સામનો કરવો પડ્યો હતો.
આ જ કારણ છે કે, રાહુલ ગાંધીએ છેલ્લી લોકસભા ચૂંટણીમાં અમેઠીની સાથે કેરળની વાયનાડ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી, અને અહીંથી જીત મેળવી હતી.
-
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય












Click it and Unblock the Notifications
