શા માટે રાયબરેલીથી ચૂંટણી લડી રહ્યા છે રાહુલ ગાંધી? જાણો સંપૂર્ણ ગણિત
Rae Bareli Lok sabha Election: લાંબી રાહ જોયા બાદ આખરે કોંગ્રેસે રાયબરેલી અને અમેઠી બંને સીટો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. મોટો જુગાર રમીને કોંગ્રેસ પાર્ટીએ રાહુલ ગાંધીને અમેઠીને બદલે રાયબરેલીથી ટિકિટ આપી છે. જ્યારે અમેઠીથી કિશોરી લાલ શર્માને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
રાયબરેલીને કોંગ્રેસ પાર્ટીનો ગઢ કમાંહેવા આવે છે, અને પાર્ટીની સૌથી સુરક્ષિત બેઠક છે. આઝાદી પછી, આજ સુધી પાર્ટીને રાયબરેલીમાં માત્ર એક જ વાર હારનો સામનો કરવો પડ્યો છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ પાર્ટીએ રાહુલ ગાંધીને સૌથી સુરક્ષિત બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે.
ગત લોકસભા ચૂંટણીમાં જે રીતે રાહુલ ગાંધીને અમેઠીથી સ્મૃતિ ઈરાનીના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો, પાર્ટી કોઈપણ પ્રકારનું જોખમ લેવા માંગતી નથી. આ જ કારણ છે કે, આ વખતે રાહુલ ગાંધીને રાયબરેલીથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે, જ્યાંથી સોનિયા ગાંધી વર્તમાન સાંસદ છે.

કોંગ્રેસ માટે વિશ્વસનીયતાની લડાઈ - અમેઠીમાં સ્મૃતિ ઈરાની સામે જે રીતે રાહુલ ગાંધીને ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો, તે પછી પાર્ટી ફરી એક વાર એવું જોખમ લેવા માંગતી નથી કે, રાહુલ ગાંધી ફરીથી સ્મૃતિ ઈરાની સામે ચૂંટણીમાં હારનો સામનો કરે. કોંગ્રેસ પાર્ટી અમેઠીમાં તેની બાકી રહેલી વિશ્વસનીયતા બચાવવા માંગે છે, તેથી તે કોઈપણ પ્રકારનું જોખમ લેવા માંગતી નથી.
આવી સ્થિતિમાં પાર્ટીએ મોટો જુગાર રમતા ગાંધી પરિવારના નજીકના કિશોરી લાલ શર્માને સ્મૃતિ ઈરાની સામે મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસ પાર્ટીએ રાહુલ ગાંધીને પોતાની વારસાગત સીટ રાયબરેલીથી ઉમેદવાર બનાવ્યા છે. આવી સ્થિતિમાં વધુ એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે સોનિયા ગાંધી આ વખતે ચૂંટણી નહીં લડે.
કિશોરી લાલ શર્મા - મોટી દાવ કોંગ્રેસે અમેઠીમાં કિશોરી લાલ શર્મા સાથે મોટી દાવ રમી છે. જો ગાંધી પરિવારના નજીકના કિશોરી લાલ શર્મા અમેઠીમાં સ્મૃતિ ઈરાનીને હરાવે છે, તો તે કોંગ્રેસ માટે મોટી જીત હશે.
કિશોરી લાલની જીત એક મોટો સંદેશ આપશે કે, કોંગ્રેસ પાર્ટીના સામાન્ય કાર્યકર્તાએ સ્મૃતિ ઈરાનીને હરાવ્યા છે. તેથી, ભાજપ માટે આ શરમજનક સ્થિતિ હશે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે, ભાજપ અમેઠી અને રાયબરેલી બંને બેઠકો પર પોતાની સંપૂર્ણ તાકાતનો ઉપયોગ કરશે.
સોનિયા ગાંધી 1999થી સતત રાયબરેલીથી સાંસદ છે. પાર્ટી અહીંથી સતત ચૂંટણી જીતી રહી છે. આ સીટ આઝાદીથી કોંગ્રેસ પાર્ટી પાસે છે. જોકે, 1977માં જનતા પાર્ટીના રાજ નારાયણે અહીંથી ઈન્દિરા ગાંધીને હરાવ્યા હતા, પરંતુ કોંગ્રેસના ઉમેદવાર અહીં 15 વખત જીત્યા છે.
શું રાહુલને રાયબરેલીથી મેદાનમાં ઉતારવો જરૂરી છે? - જે રીતે રાહુલ ગાંધીને અમેઠીને બદલે રાયબરેલીથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે, તે પાર્ટી તરફથી એક મોટું પગલું નહીં પણ મજબૂરી ગણાશે. કોંગ્રેસ કોઈ પણ સંજોગોમાં રાહુલ ગાંધીને પરંપરાગત બેઠક પરથી હારનો સામનો ન કરે તેવું ઈચ્છશે. આ જ કારણ છે કે આ વખતે તેમને સુરક્ષિત વિકલ્પ તરીકે રાયબરેલીથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
રાહુલ અમેઠીથી હારી ગયા ચૂંટણી - 2004 થી 2014 ની વચ્ચે રાહુલ ગાંધીએ અમેઠી લોકસભા સીટ પર ત્રણ વખત જીત મેળવી હતી. જોકે, 2014માં સ્મૃતિ ઈરાનીને રાહુલ ગાંધીએ હાર આપી હતી. પરંતુ 2019માં રાહુલ ગાંધીને અહીંથી હારનો સામનો કરવો પડ્યો હતો.
આ જ કારણ છે કે, રાહુલ ગાંધીએ છેલ્લી લોકસભા ચૂંટણીમાં અમેઠીની સાથે કેરળની વાયનાડ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી, અને અહીંથી જીત મેળવી હતી.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ?









Click it and Unblock the Notifications
