'દરેક મસ્જિદમાં કેમ શોધવા શિવલિંગ?', જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ વચ્ચે બોલ્યા મોહન ભાગવત
સંઘ પ્રમુખ મોહન ભાગવતે જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ વચ્ચે મોટુ નિવેદન આપ્યુ છે.
નવી દિલ્લીઃ સંઘ પ્રમુખ મોહન ભાગવતે જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ વચ્ચે મોટુ નિવેદન આપ્યુ છે. વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં વીડિયોગ્રાફી બાદ હિંદુ પક્ષકારો તરફથી શિવલિંગ મળવા સાથે તમામ દાવા કરવામાં આવી રહ્યા છે. હવે આ સમગ્ર મામલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે ટિપ્પણી કરી છે. તેમણે આ મામલે પરસ્પર સમજૂતીના માધ્યમથી ઉકેલ લાવવાનુ આહ્વાન કર્યુ છે. સંઘ પ્રમુખે સવાલ કર્યો કે આપણે દરેક મસ્જિદમાં શિવલિંગ કેમ શોધવા જઈએ?

ગુરુવારે મોહન ભાગવત આરએસએસના ત્રીજા વર્ષના સંઘ શિક્ષા વર્ગના સમાપન સમારોહમાં સંબોધન આપી રહ્યા હતા. તેમણે કહ્યુ કે આપણને કેટલીક જગ્યાઓ માટે વિશેષ આદર છે જેની વાત કરવામાં આવી હતી. હવે આપણે ધર્મને લઈને રોજ કોઈ નવી વાત લાવવી જોઈએ નહિ. મોહન ભાગવતે કહ્યુ કે આપણે વિવાદ ન વધારવો જોઈએ. આપણને જ્ઞાનવાપીમાં શ્રદ્ધા છે અને તે પ્રમાણે કંઈક કરી રહ્યા છીએ પણ દરેક મસ્જિદમાં શિવલિંગની શોધ શા માટે? રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે કહ્યુ કે જ્ઞાનવાપીનો એક ઈતિહાસ છે. આપણે તેને બદલી શકતા નથી. પણ આપણે રોજ મસ્જિદમાં શિવલિંગ શા માટે શોધવુ પડે છે? લડાઈ શા માટે વધારવી?
આરએસએસના વડાએ વધુમાં કહ્યુ કે આપણે જ્ઞાનવાપીનો ઈતિહાસ નથી બનાવ્યો. ઇસ્લામ આક્રમણકારોના હાથમાં આવ્યો. હજારો મંદિરો તોડવામાં આવ્યા. તેમણે કહ્યુ કે મુસ્લિમોના પૂર્વજો પણ હિંદુ હતા. ભાગવતે કહ્યુ કે રામજન્મભૂમિનુ આંદોલન હતુ. તે પૂર્ણ થયુ, હવે આપણે આંદોલન નથી કરવુ. મોહન ભાગવતે વધુમાં કહ્યુ કે જ્ઞાનવાપી વિશે આદર અને પરંપરાઓ છે પરંતુ દરેક મસ્જિદમાં શિવલિંગ શા માટે શોધવુ?
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
