કૂંભ મેળામાં તલવાર-ત્રિશૂળ લઇને શા માટે આવે છે નાગા સાધુ?

અલ્હાબાદ, 29 જાન્યુઆરીઃ સંગમ તટ પર ચાલી રહેલા કૂંભ મેળામાં દેશભરમાંથી નાગા બાવા ગંગામાં ડુબકી લગાવવા માટે આવી રહ્યાં છે. તેમના હાથોમાં ત્રીશૂળ, ફરસા, તલવાર કે પછી અન્ય કોઇ ધારદાર હથિયાર જરૂર જોવા મળે છે. ક્યારેય તમે વિચાર્યું છે કે આખરે એવું કેમ? આખરે કયુ કારણ છે, જેથી આ સાધુઓ પોતાના સાથે હથિયાર લઇને ચાલે છે.

તેનો જવાબ તમને આ લેખમાં મળશે. ખરા અર્થમાં આ શસ્ત્ર તેમના માટે આભૂષણ સમાન હોય છે. અખાડા સભ્યતા અનુસાર ત્રિશૂળ અને તલવાર તેમના માટે ઘણા મહત્વપૂર્ણ હોય છે. તેમની પૂજા પર આ શસ્ત્રો વગર અધુરી માનવામાં આવે છે.

naga-sadhu-with-trishul
નાગા સાધુ જેટલી શ્રદ્ધા સાથે ગંગામાં ડુબકી લગાવે છે, તેટલી જ શ્રદ્ધા સાથે આ શસ્ત્રોની રાત્રે પૂજા કરે છે. આ લોકો આ શસ્ત્રોની પૂજા દેવી-દેવતા તરીકે કરે છે. નાગા સાધૂ અખાડાના દેવેન્દ્ર ગીરી જણાવે છે કે ઇતિહાસ સાક્ષી છે કે નાગા સાધૂ હંમેશા જ હિન્દુ ધર્મના રક્ષક માનવામાં આવે છે. મુગલ શાસનમાં જ્યારે મુસલમાનોએ હિન્દુ સાધૂ-સન્યાસીઓને ખત્મ કરવાની ધમકી આપી હતી, ત્યારથી શસ્ત્ર રાખવાની પ્રણાલી વધી હતી.

આજે જો કૂંભનગરમાં જોઇએ તો જૂના અખાડામાં 108 ફૂટ લાંબુ ત્રિશૂળ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનેલું છે. આ ત્રિશૂળનો ભાર 33 ક્વિન્ટલ છે, જેનું નિર્માણ પંજાબમાં થયું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X