For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરજકુંડમાં મોદી બોલ્યા, “પીએમજી તમે દેશ માટે કેમ નથી બનતા 'સિંઘમ'”

|
Google Oneindia Gujarati News

Narendra Modi
સુરજકુંડ, 28 સપ્ટેમ્બરઃ ગુજરાતના મુંખ્યમંત્રી નરેન્દ્ર મોદી હાલ સુરજકુંડમાં ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં ભાગ લઇ રહ્યાં છે. જ્યાં તેમણે પ્રધાનમંત્રી મનમોહન સિંહ પર આકરા પ્રહારો કર્યાં હતા. તેમણે એફડીઆઇનો નિર્ણય, કોલ સ્કેમને લઇને પીએમ પર નિશાન સાધ્યા છે. મુખ્યમંત્રીએ કહ્યું છે કે, પીએમજી તમે ન્યુક્લિયર ડીલ અને એફડીઆઇ મુદ્દે સિંઘમ બન્યાં હતા, પરંતુ દેશ માટે ક્યારે સિંઘમ બનશો?

મુખ્યમંત્રીએ કેટલાક પ્રશ્નોના જવાબ માંગતા કહ્યું છે, "પીએમજી એ વાતનો જવાબ આપો કે સોનિયાજી યુએસથી પરત ફર્યાના બીજા જ દિવસે શા માટે એફડીઆઇને મંજૂરી આપવામાં આવી? એફડીઆઇ મુદ્દે તમે સિંઘમ બન્યા તો પછી દેશના કલ્યાણઅર્થે તમે ક્યારે તમારું સાહસ દેખાડશો? કોલ સ્કેમમાં કોંગ્રેસની સીધી સંડોવણી છે અને દેશ તેનો જવાબ માંગી રહ્યો છે."

આ ઉપરાંત હરિયાણા અને ગુજરાત વચ્ચેના સંબંધો અંગે પણ તેમણે જણાવ્યું છે કે, હરિયાણા અને ગુજરાત વચ્ચે જુના સંબંધો છે. કુરુક્ષેત્ર પછી શ્રીકૃષ્ણ ગુજરાત આવ્યાં હતા. એજ રીતે મહર્ષી દયાનંદ સરસ્વતી ગુજરાતથી પંજાબ અને હરિયાણા આવ્યાં હતા. હું હરિયાણામાં પક્ષના કામ માટે છ વર્ષ રોકાયો હતો. હરિયાણા પ્રત્યે મને ઘણો લગાવ છે. હરિયાણા આસાનીથી નંબર વન બની શકે છે.

English summary
Why was FDI done on the second day of Sonia ji return from USA PM ji should answer.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X