કેમ પીએમ મોદીને અપાયો 'લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર'? જાણો
આજે PM નરેન્દ્ર મોદીને 'લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર'થી સન્માનિત કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે આ એવોર્ડ તેમને તિલક સ્મારક મંદિર ટ્રસ્ટ દ્વારા આપવામાં આવ્યો છે. આ પુરસ્કાર 1983 માં શરૂ કરવામાં આવ્યો હતો અને આ એવોર્ડ દર વર્ષે એવા લોકોને આપવામાં આવે છે જેમનું મહત્વપૂર્ણ યોગદાન દેશની પ્રગતિમાં મદદ કરે છે.
તિલક સ્મારક મંદિર ટ્રસ્ટે કહ્યું કે 'PM મોદીના નેતૃત્વમાં દેશ સતત વિકાસ કરી રહ્યો છે, તેથી આ વખતે તેમને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. આ એવોર્ડમાં પીએમ મોદીને સ્મૃતિ ચિહ્ન અને પ્રશસ્તિપત્ર આપવામાં આવ્યું છે.

આ ટ્રસ્ટના અધ્યક્ષ દીપક તિલક છે, જે લોકમાન્ય બાલ ગંગાધર તિલકના પૌત્ર છે, જેમના પિતા દીપક તિલક રાજ્યસભાના સાંસદ અને મહારાષ્ટ્ર રાજ્ય વિધાન પરિષદના અધ્યક્ષ રહી ચૂક્યા છે.
પીએમ મોદી પહેલા આ સન્માન પૂર્વ રાષ્ટ્રપતિ ડો.શંકર દયાલ શર્મા, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી, પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધી અને પૂર્વ પીએમ મનમોહન સિંહને મળી ચૂક્યા છે.
તિલક ટ્રસ્ટને સામાન્ય રીતે કોંગ્રેસનું સમર્થન માનવામાં આવે છે, પરંતુ આ વખતે આ સન્માન માટે પીએમ મોદીની પસંદગી કરીને ટ્રસ્ટે આ મૂંઝવણ પણ દૂર કરી દીધી છે. રાજકીય હસ્તીઓ ઉપરાંત જાણીતા ઉદ્યોગપતિ એન. આર. નારાયણમૂર્તિ, મેટ્રો મેન ઇ. શ્રીધરન અને વરિષ્ઠ વૈજ્ઞાનિક ટેસી થોમસને એનાયત કરાયા છે.
પીએમ મોદીએ આ એવોર્ડ માટે પસંદ થવા બદલ આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે 'હું લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર 140 કરોડ દેશવાસીઓને સમર્પિત કરું છું'. તેમણે નમામિ ગંગે યોજનાને એવોર્ડની રકમ આપવાની જાહેરાત કરી છે.
-
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
