કેજરીવાલની ખુરશી બચાવવા સંવિધનમાં સંશોધન કરશે AAP!
કેજરીવાલની ખુરશી બચાવવા સંવિધનમાં સંશોધન કરશે AAP!
નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ખુરશી બચાવવા માટે આમ આદમી પાર્ટી સંવિધાન બદલવાની તૈયારીમાં છે. આના માટે શનિવારે રાષ્ટ્રીય પરિષદની બેઠક આયોજિત કરવામાં આવશે. પાર્ટીના સંવિધાનમાં આ સંશોધન એટલા માટે કરવામાં આવશે જેથી કેજરીવાલના કાર્યકાળને આગળ વધારી શકાય. જણાવી દઈએ કે આમ આદમી પાર્ટીના સંસ્થાપક અરવિંદ કેજરીવાલ પાર્ટી પ્રમુખ તરીકે પોતાનો બીજો કાર્યકાળ પૂરો કરનાર છે.

જણાવી દઈએ કે પાર્ટી મુખ્યા તરીકે અરવિંદ કેજરીવાલનો બીજો કાર્યકાળ 2019માં પૂરો થઈ રહ્યો છે. આ તેમનો બીજો મોકો છે. કેમ કે પાર્ટીના મુખ્યા કેજરીવાલને એપ્રિલ 2016માં ત્રણ વર્ષ માટે ચૂંટવામાં આવ્યા હતા. જેને ધ્યાનમાં રાખી પાર્ટી પોતાના સંવિધાનને બદલવાની તૈયારીમાં લાગી ગઈ છે. પાર્ટી સંવિધાન બદલવા પાછળ કહેવામાં આવી રહ્યું છે કે કેજરીવાલ હંમેશા માટે પાર્ટી મુખ્યા બની રહી શકે છે. જો કે હવે જોવાનું રહેશે કે પાર્ટીના બાકીના નેતાઓ આ સંબંધમાં શું મંતવ્ય આપે છે અને સંવિધાનમાં સંશોધન થઈ શકે છે કે નહિં.
શું કહે છે AAPનું સંવિધાન
પાર્ટીના હાલના નિયમ મુજબ એક જ પદ પર કોઈપણ સભ્યને પાર્ટીના પદાધિકારીના રૂપમાં ત્રણ વર્ષ માટે સતત બે વખત અધિકારી પાર્ટી પ્રમુખ ન બનાવી શકાય. એવામાં જો આ શરત પર પાર્ટી આગળ વધે છે તો કેજરીવાલની મુશ્કેલી વધી જશે કેમ કે 2019માં પાર્ટી પ્રમુખના રૂપમાં તેમનો કાર્યકાળ ખતમ થઈ રહ્યો છે. પાર્ટીને આ બેઠકમાં સંવિધાન સંશોધન ઉપરાંત 2019 લોકસભા ચૂંટણી પર પણ ચર્ચા થવાની સંભાવના છે.
આ પણ વાંચો- પીએમ મોદીને વિંછી કહેનારા ઝડફિયાને ભાજપે બનાવ્યા યુપીના પ્રભારી
-
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત -
Ganga Expressway: પ્રાદેશિક વિકાસને વેગ આપતો ભારતનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી -
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: આગામી 3 દિવસ હીટવેવની આગાહી, રાજકોટ-સુરેન્દ્રનગરમાં 'રેડ એલર્ટ' -
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર












Click it and Unblock the Notifications
