કેજરીવાલે કહ્યું, ‘15 દિવસમાં જ લાવીશુ જનલોકપાલ બિલ’
આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી બનવા જઇ રહેલા અરવિંદ કેજરીવાલે જનલોકપાલ પર પોતાના વિચાર જાહેર કરી દીધા છે. સત્તા સંભાળ્યા બાદ કેજરીવાલ 15 દિવસની અંદર જનલોકપાલ લાવવાની વાત પર અડેલા છે, આ વાત તેમણે બુધવારે બીજી વાર જણાવી છે.
અરવિંદ કેજરીવાલે બુધવારે મીડિયાને જણાવ્યું કે ભ્રષ્ટાચાર એખ મોટો મુદ્દો છે અને તેના માટે જનલોકપાલ લાવવું જરૂરી છે. તેમણે કહ્યું કે જો કે જેમા એક તરફ કાયદાની અડચણો છે, પરંતુ આ તમામ અવરોધોને પાર કરી લેવામાં આવશે.

નોંધનીય છે કે, શનિવારે અરવિંદ કેજરીવાલ શપથ લેવા જઇ રહ્યાં છે, ત્યારબાદ તેમની પ્રાથમિકતાઓમા વિજળી અને પાણીના બિલ ઓછા કરવા તથા જનકોલપાલના મુદ્દા છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 28 બેઠકો જીતી છે. ભાજપે બાદમાં આપ બીજી સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી.
આમ આદમી પાર્ટીના શપથ સમારોહનું આમત્રણ અણ્ણા હઝારે, કિરણ બેદી અને જસ્ટિસ સંતોષ હેગડેને મોકલવામાં આવ્યું છે. આ અંગે કુમાર વિશ્વાસે જણાવ્યું કે, ઉપરાજ્યપાલે પાર્ટીએ એ લોકોની યાદી માગી હતી, જેમણે અધિકૃત રીતે આમત્રણ મોકલવામાં આવ્યું છે, વિશ્વાસે કહ્યું કે, પાર્ટી તરફથી અણ્ણા હઝારે, કિરણ બેદી અને જસ્ટિસ સંતોષ હેગડેનું નામ આપ્યું છે.
અણ્ણા હઝારેને આ સમારોહમાં સામેલ થવાના કારણે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે હજુ તેમનું સ્વાસ્થ્ય ઠીક નથી. સમારોહ સુધી સ્વાસ્થ્ય ઠીક થઇ જશે તો તે જરૂર જશે.
-
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ




Click it and Unblock the Notifications
