જો CM હાઉસમાં કઇ ના મળ્યુ તો શું પીએમ રાજીનામું આપશે?: અરવિંદ કેજરીવાલ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સીએમ હાઉસ રિનોવેશન મુદ્દે પોતાનું મૌન તોડ્યું છે. અરવિંદ કેજરીવાલે ઘરના રિનોવેશન સંબંધિત આરોપોને પડકાર ફેંક્યો અને પૂછ્યું કે જો સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) તેની તપાસમાં કંઈ નહીં મેળવે તો શું વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના પદ પરથી રાજીનામું આપશે?
અરવિંદ કેજરીવાલની આ ટિપ્પણી CBI તપાસના આદેશના એક દિવસ બાદ આવી છે. આરોપ છે કે દિલ્હી સરકારે તેમના આવાસના નવીનીકરણ પર 45 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.

એક દિવસ પહેલા ગૃહ મંત્રાલયે દિલ્હીના સીએમ આવાસ પર કથિત કૌભાંડની સીબીઆઈ તપાસના આદેશ આપ્યા છે. હવે તેમના નિવેદનમાં દિલ્હીના સીએમ કેજરીવાલે કહ્યું કે તેઓ સીબીઆઈ તપાસનું સ્વાગત કરે છે, પરંતુ તેમને કંઈ મળવાનું નથી.
કેજરીવાલે પોતાના નિવેદનમાં કહ્યું કે આ પહેલીવાર નથી. વડાપ્રધાન નર્વસ છે, અત્યાર સુધીમાં પચાસથી વધુ તપાસ થઈ ચૂકી છે. અમારી સામે 33 થી વધુ કેસ નોંધાયા છે. તમામ પ્રકારની તપાસ કરવામાં આવી હતી પરંતુ કંઈ મળ્યું ન હતું.
अब इन्होंने CM आवास की CBI जाँच शुरू करवा दी।
— Arvind Kejriwal (@ArvindKejriwal) September 28, 2023
प्रधानमंत्री जी घबराए हुए हैं। ये उनकी घबराहट दिखाता है।
मेरे ख़िलाफ़ enquiry कोई नई बात नहीं है। अभी तक मेरे ख़िलाफ़ पिछले 8 साल में 50 से ज़्यादा मामलों में enquiry करवा चुके हैं। बोले केजरीवाल ने स्कूल बनवाने में घोटाला कर… pic.twitter.com/rPtIpUcU4Y
તેમણે વધુમાં કહ્યું કે, ગમે તેટલી નકલી તપાસ શરૂ કરવામાં આવે તો પણ કેજરીવાલ ઝૂકવાના નથી. મારો ચોથો પાસ રાજા માટે પડકાર છે. જો આ તપાસમાં કંઈ નહીં મળે તો શું વડાપ્રધાન રાજીનામું આપશે?
કેજરીવાલે પીએમ મોદીને ઘેરતા કહ્યું, ચોથા પાસ રાજા પાસેથી બીજી શું અપેક્ષા રાખી શકાય? માત્ર ચોવીસ કલાક પૂછપરછ-પૂછપરછની રમત રમતા રહો, અથવા ભાષણો આપતા રહો. કોઈ કામ ન કરો. તે ઈચ્છે છે કે હું અન્ય નેતાઓ અને પક્ષોની જેમ તેમની સાથે જોડાઈ જાઉં. પણ તેઓ ગમે તેટલી નકલી તપાસ કરે અથવા ગમે તેટલા કેસ દાખલ કરે તો પણ હું તેમની સામે ઝૂકવાનો નથી.
તેમણે કહ્યું કે હું તેમને પણ પડકાર આપું છું - જે રીતે અગાઉની તમામ પૂછપરછમાં કંઈ મળ્યું ન હતું, તેવી જ રીતે જો આ તપાસમાં પણ કંઈ ન મળે તો શું તેઓ ખોટી તપાસ કરવા બદલ રાજીનામું આપશે?
-
પાકિસ્તાનમાં મોંઘવારીનો આંચકો: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તોતિંગ વધારો -
પાકિસ્તાન આર્થિક સંકટ: કટોરો લઈને ભીખ માંગવા IMF જશે પાક, ઈરાને હાલત કરી ખરાબ, કેટલા પૈસાની છે જરૂર? -
ઈરાને ટ્રમ્પની શાન ઠેકાણે લાવી દીધી, 24 કલાકમાં 2 હેલિકોપ્ટર અને 2 ફાઈટર જેટ ધૂળમાં મેળવી દીધા - Video -
Gujarat Weather: રાજ્યમાં ગરમી વચ્ચે માવઠાની આફત, જાણો હવામાન વિભાગની આગાહી -
IPL 2026 પોઈન્ટ્સ ટેબલ: શરૂઆતમાં જ ફસાઈ ધોનીની ટીમ! PBKS પહોંચી ટોપ પર, પોઈન્ટ્સ ટેબલમાં કોણ ક્યાં? -
મધ્ય પૂર્વના સંઘર્ષમાં મૃત્યુઆંક વધ્યો: ઈરાનમાં 3,531, લેબેનોનમાં 1,368 અને અમેરિકાના 13 સૈનિકોના મોત -
SME IPO ના જંગમાં ગુજરાતનો ડંકો: નાણાકીય વર્ષ 2026 માં મહારાષ્ટ્રને હરાવી પ્રથમ ક્રમ મેળવ્યો -
Gyan Sadhana Scholarship Exam: ગુજરાતમાં આજે 6.3 લાખ વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના પરીક્ષા આપશે -
Zeenat Aman નો ખુલાસો: ફિલ્મ 'ડોન' ના આ સીનમાં અમિતાભ બચ્ચન સાથે પરસેવા છૂટી ગયા હતા -
'હું તેની બીજી પત્ની બની ગઈ', 79 વર્ષની પ્રખ્યાત અભિનેત્રીને પ્રેમમાં મળ્યો દગો, અધૂરા પ્રેમે હૃદય તોડી નાખ્યુ -
SRH vs LSG IPL 2026: હૈદરાબાદ પિચ રિપોર્ટ અને હવામાનની આગાહી | આજની મેચ -
ઈસ્ટર સન્ડે 2026: મહત્વ, શુભેચ્છાઓ અને ખાસ સંદેશા | Easter Sunday 2026



Click it and Unblock the Notifications
