જો CM હાઉસમાં કઇ ના મળ્યુ તો શું પીએમ રાજીનામું આપશે?: અરવિંદ કેજરીવાલ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સીએમ હાઉસ રિનોવેશન મુદ્દે પોતાનું મૌન તોડ્યું છે. અરવિંદ કેજરીવાલે ઘરના રિનોવેશન સંબંધિત આરોપોને પડકાર ફેંક્યો અને પૂછ્યું કે જો સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) તેની તપાસમાં કંઈ નહીં મેળવે તો શું વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના પદ પરથી રાજીનામું આપશે?
અરવિંદ કેજરીવાલની આ ટિપ્પણી CBI તપાસના આદેશના એક દિવસ બાદ આવી છે. આરોપ છે કે દિલ્હી સરકારે તેમના આવાસના નવીનીકરણ પર 45 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.

એક દિવસ પહેલા ગૃહ મંત્રાલયે દિલ્હીના સીએમ આવાસ પર કથિત કૌભાંડની સીબીઆઈ તપાસના આદેશ આપ્યા છે. હવે તેમના નિવેદનમાં દિલ્હીના સીએમ કેજરીવાલે કહ્યું કે તેઓ સીબીઆઈ તપાસનું સ્વાગત કરે છે, પરંતુ તેમને કંઈ મળવાનું નથી.
કેજરીવાલે પોતાના નિવેદનમાં કહ્યું કે આ પહેલીવાર નથી. વડાપ્રધાન નર્વસ છે, અત્યાર સુધીમાં પચાસથી વધુ તપાસ થઈ ચૂકી છે. અમારી સામે 33 થી વધુ કેસ નોંધાયા છે. તમામ પ્રકારની તપાસ કરવામાં આવી હતી પરંતુ કંઈ મળ્યું ન હતું.
अब इन्होंने CM आवास की CBI जाँच शुरू करवा दी।
— Arvind Kejriwal (@ArvindKejriwal) September 28, 2023
प्रधानमंत्री जी घबराए हुए हैं। ये उनकी घबराहट दिखाता है।
मेरे ख़िलाफ़ enquiry कोई नई बात नहीं है। अभी तक मेरे ख़िलाफ़ पिछले 8 साल में 50 से ज़्यादा मामलों में enquiry करवा चुके हैं। बोले केजरीवाल ने स्कूल बनवाने में घोटाला कर… pic.twitter.com/rPtIpUcU4Y
તેમણે વધુમાં કહ્યું કે, ગમે તેટલી નકલી તપાસ શરૂ કરવામાં આવે તો પણ કેજરીવાલ ઝૂકવાના નથી. મારો ચોથો પાસ રાજા માટે પડકાર છે. જો આ તપાસમાં કંઈ નહીં મળે તો શું વડાપ્રધાન રાજીનામું આપશે?
કેજરીવાલે પીએમ મોદીને ઘેરતા કહ્યું, ચોથા પાસ રાજા પાસેથી બીજી શું અપેક્ષા રાખી શકાય? માત્ર ચોવીસ કલાક પૂછપરછ-પૂછપરછની રમત રમતા રહો, અથવા ભાષણો આપતા રહો. કોઈ કામ ન કરો. તે ઈચ્છે છે કે હું અન્ય નેતાઓ અને પક્ષોની જેમ તેમની સાથે જોડાઈ જાઉં. પણ તેઓ ગમે તેટલી નકલી તપાસ કરે અથવા ગમે તેટલા કેસ દાખલ કરે તો પણ હું તેમની સામે ઝૂકવાનો નથી.
તેમણે કહ્યું કે હું તેમને પણ પડકાર આપું છું - જે રીતે અગાઉની તમામ પૂછપરછમાં કંઈ મળ્યું ન હતું, તેવી જ રીતે જો આ તપાસમાં પણ કંઈ ન મળે તો શું તેઓ ખોટી તપાસ કરવા બદલ રાજીનામું આપશે?












Click it and Unblock the Notifications
