આશિષ મિશ્રા હાજર થતા સિદ્ધુએ ઉપવાસ સમાપ્ત કર્યા!
કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય કુમાર મિશ્રાના પુત્ર આશિષ મિશ્રા સામે ધરણા પર બેઠેલા નવજોત સિંહ સિદ્ધુએ લખીમપુર ખીરી ઘટનામાં ઉપવાસ સમાપ્ત કર્યા છે.
નવી દિલ્હી, 09 ઓક્ટોબર : કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય કુમાર મિશ્રાના પુત્ર આશિષ મિશ્રા સામે ધરણા પર બેઠેલા નવજોત સિંહ સિદ્ધુએ લખીમપુર ખીરી ઘટનામાં ઉપવાસ સમાપ્ત કર્યા છે. તમને જણાવી દઈએ કે શનિવારે આશિષ મિશ્રા ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ હાજર થયો હતો, ત્યારબાદ સિદ્ધુએ તેના ઉપવાસ અને મૌન સમાપ્ત કર્યા હતા.

તમને જણાવી દઈએ કે સિદ્ધુ શુક્રવારે લખીમપુર ખીરીમાં 3 ઓક્ટોબરે હિંસાની ઘટનામાં માર્યા ગયેલા પત્રકાર રમણ કશ્યપના ઘરે પહોંચ્યા હતા. પીડિત પરિવારને મળ્યા બાદ સિદ્ધુએ મીડિયા સાથે વાત કરી હતી. આ દરમિયાન સિદ્ધુ માર્યા ગયેલા પત્રકારના ઘરે ધરણા પર બેઠા હતા. સિદ્ધુએ આ ઘટનાના મુખ્ય આરોપી અને ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાની ધરપકડ સુધી મૌન ઉપવાસ કરવાની જાહેરાત કરી હતી.
ઉત્તર પ્રદેશ પોલીસના બે સમન્સ બાદ આશિષ કુમાર મિશ્રા આજે ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ હાજર થયો છે. અગાઉના સમન્સના જવાબમાં આશિષકુમાર મિશ્રા તરફથી કોઈ જવાબ મળ્યો ન હતો. શનિવારે ફરી સમન્સ જારી કરવામાં આવ્યુ હતું અને પોલીસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે જો તે હજુ પણ હાજર નહીં થાય તો પોલીસ તેની વિરુદ્ધ ધરપકડ વોરંટ બહાર પાડશે. સમાચાર લખાય ત્યાં સુધી આશિષકુમાર મિશ્રાની ક્રાઈમ બ્રાંચની તપાસ ચાલી રહી છે.
કોંગ્રેસ પાર્ટીએ લખીમપુર ઘટનાનો મુદ્દો ઉઠાવ્યો છે. ઘટનાના બીજા જ દિવસથી કોંગ્રેસના તમામ મોટા નેતાઓ ઉત્તર પ્રદેશ પહોંચ્યા હતા. આ ઘટનાના બીજા જ દિવસે પ્રિયંકા ગાંધી લખીમપુર ખીરી જવા માંગતી હતી, પરંતુ પોલીસે તેને મંજૂરી આપી ન હતી. આ પછી તેને કસ્ટડીમાં લેવામાં આવી અને 1 દિવસ પછી તેની ધરપકડ કરવામાં આવી. આ પછી, રાહુલ ગાંધી, છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ, પંજાબના સીએમ ચરણજીત સિંહ ચન્ની અને નવજોત સિંહ સિદ્ધુ સહિત કોંગ્રેસના હજારો કાર્યકરો લખીમપુર ખીરી પહોંચ્યા હતા.
-
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ -
આજ રાતથી ગુજરાતમાં માવઠાનું જોર વધશે, હવામાનની નવી આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Petrol Diesel Price: 2 એપ્રિલે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: UP-દિલ્હી સહિત 8 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
IPL 2026: KKRએ જીત્યો ટોસ, SRH પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, જાણો ક્યારે લેવાશે પરિક્ષા? -
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 48 કલાકમાં ગુજરાતમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની સંભાવના -
કેજરીવાલે પત્ર લખીને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મળવાનો સમય માંગ્યો, જાણો કેમ? -
Gold Rate Today: 2 એપ્રિલના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
KKR vs SRH: હૈદરાબાદની શાનદાર જીત, કોલકાતાને 65 રનથી હરાવ્યું -
Karmayogi Saptah: શું છે પીએમ મોદીનું 'કર્મયોગી' વિઝન? સરકારી કામકાજ માટે આપ્યો સેવાનો સર્વોચ્ચ મંત્ર










Click it and Unblock the Notifications
