આગામી બે વર્ષમાં ભાતમાંથી કુપોષણ ખતમ થઈ જશેઃ સ્મૃતિ ઈરાની

આગામી બે વર્ષમાં ભાતમાંથી કુપોષણ ખતમ થઈ જશેઃ સ્મૃતિ ઈરાની

નવી દિલ્હીઃ કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ ગુરુવારે રાજ્યસભામાં જાણકારી આપી છે કે 2022 સુધી ભારતમાંથી કુપોષણ ખતમ થઈ જશે. ઈરાનીએ જણાવ્યું કે પોષણ અભિયાન સ્કીમની અસર શાનદાર થઈ રહી છે. આગામી બે વર્ષમાં કોઈપણ બાળક કુપોષણનો શિકાર નહી થાય. આમ આદમી પાર્ટીના સાંસદ સુશીલ કુમાર ગુપ્તા માટે એક સવાલના જવાબમાં ઈરાનીએ આ જાણકારી સદનમાં આપી છે.

smriti irani

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, જ્યારે અમે કુપોષણની વાત કરી રહ્યા છે કે અમે સફાઈ, પીવાનું પાણી અને બીજા પહેલુઓને પણ લઈને ચાલી રહ્યા છે. મને એ જણાવતા ખુશી થઈ રહી છે કે તમામ રાજ્યોના તમામ જિલ્લામાં પોષણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. અમે આને સતત વધારી રહ્યા છીએ. સાથે જ કેન્દ્રીય સરકાર મિડ ડે મીલને ભોજનની સ્થિતિમાં પણ સુધારા માટે કામ કરી રહી છે. જેથી બાળકોને પૌષ્ટિક ખાવાનું મળે. મિડ ડે મીલ 2022 સુધી દેશને કુપોષણથી ફ્રી કરવામાં મહત્વનું હશે.

સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે કુપોષણ અભિયાન જન આંદોલન કેન્દ્રની સરકારની એક પ્રમુખ યોજના છે. આ કાર્યક્રમ અંતર્ગત બાળકોને કુપોષણથી કાઢવા, કિશોરો, ગર્ભવતી મહિલાઓ, સ્તનપાન કરાવવનાર માતાઓના સ્વાસ્થ્યમાં સુધારો એજ લક્ષ્ય છે અને તેનું પરિણામ સારું આવી રહ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X