સૌથી ખુશહાલ દેશની યાદીમાં પાકિસ્તાને ભારતને પાછળ છોડ્યું
ભારત દેશ ગત વર્ષે આ યાદીમાં 118મા ક્રમાંકે હતો, જેમાંથી તે 4 ક્રમ નીચે આવ્યો છે; જ્યારે પાકિસ્તાન 12 ક્રમ આગળ વધ્યું છે.
સોમવારે જાહેર કરવામાં આવેલી ગ્લોબલ રિપોર્ટમાં સૌથી ખુશહાલ દેશની યાદીમાં ભારત 122મા ક્રમે છે. વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ 2017 અનુસાર ભારત દેશનો 122મો સૌથી ખુશહાલ દેશ છે. આ બાબતે ભારત પાકિસ્તાન અને નેપાળ કરતાં પણ પાછળ છે, જે આ યાદીમાં અનુક્રમે 80 અને 99 ક્રમાંકે છે. આ યાદીના ટોપ 10 નામોમાં યુએસનો પણ સમાવેશ કરવામાં નથી આવ્યો, યુએસ 14મા ક્રમાંકે છે.

ભારત દેશ ગત વર્ષે આ યાદીમાં 118મા ક્રમાંકે હતો, જેમાંથી તે 4 ક્રમ નીચે આવ્યો છે; જ્યારે પાકિસ્તાન 12 ક્રમ આગળ વધ્યું છે.
આ યાદીમાં નોર્વે પ્રથમ નંબરે છે, ત્યાર બાદ ડેન્માર્ક અને આયલેન્ડનો ક્રમ આવે છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સુખ કે ખુશીને પૈસા કે આર્થિક પરિસ્થિતિ સાથે કોઇ લેવા-દેવા નથી. સૌથી સમૃદ્ધ દેશોમાં પણ માનસિક અને શારીરિક સ્વસ્થતા તથા વ્યક્તિગત સંબંધોને કારણે સુખમાં ઘટાડો થતો જોવા મળે છે. આ માપદંડોને આધારે જ દુનિયાભરના દેશોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે.આ રિપોર્ટમાં દુઃખનું સૌથી મોટું કારણ માનસિક અસ્વસ્થતા હોવાનું જણાવાયું છે.
સૌથી ખુશહાલ દેશો
- નોર્વે
- ડેન્માર્ક
- આઇસલેન્ડ
- સ્વિટઝર્લેન્ડ
- ફિનલેન્ડ
- નેધરલેન્ડ
- કેનેડા
- ન્યૂઝીલેન્ડ
- ઓસ્ટ્રેલિયા
- સ્વીડન
સૌથી ઉદાસ દેશો
- યેમેન
- દક્ષિણ સુડાન
- લાઇબેરીયા
- ગિની
- ટોગો
- રવાન્ડા
- સીરિયા
- તાંઝાનિયા
- બરુન્ડી
- સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર





Click it and Unblock the Notifications
