કોરોનાથી પણ વધુ ખતરનાક છે તમાકુ, દર વર્ષે 70 લાખના મોત થાય છે
World No Tobacco Day: કોરોનાથી પણ ખતરનાક છે તમાકુ, દર વર્ષે 70 લાખના મોત થાય છે
નવી દિલ્હીઃ દર વર્ષે 31 મેના રોજ World No Tobacco Day મનાવવામાં આવે છે. આ દિવસને મનાવવા પાછળનો ઉદ્દેશ્ય લોકોને તમાકુના ખતરા વિશે ચેતવવાનો છે. એક અંદાજા મુજબ દર વર્ષે તમાકુના સેવનથી 70 લાખ લોકોના મોત થઈ રહ્યં છે, છતાં પણ લકો તમાકુંનું વ્યસન છોડવાનું નામ નથી લઈ રહ્યા છે. એટલું જ નહિ લૉકડાઉન દરમિયાન પાનના ગલ્લા બંધ થઈ જતાં લોકોએ હજારોની કિંમતમાં તમાકુ ખરીદી હોવાના કિસ્સા પણ સામે આવ્યા હતા.

જણાવી દઈએ 1987માં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને તમાકુના નુકસાન પર ગંભીરતાથી અધ્યયન કર્યું. પછી તેના મૃત્યુદરને જોતા લોકોને જાગરુક કરવાની યોજના બનાવી. જે બાદ 1988માં પહેલીવાર 7 એપ્રિલના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસ મનાવવામાં આવ્યો. જે બાદથી દર વર્ષે 31મેના રોજ આ દિવસ મનાવાતો શરૂ થઈ ગયો. હાલના સમયમાં કરોના મહામારીના કારણે વધુમાં વધઉ દેશોમાં લૉકડાઉન થઈ રહ્યું છે. એવામાં આ વખતે માત્ર ઑનલાઈન કાર્યક્રમનું જ આયોજન થશે.
તમાકુથી કેંસર અને ફેફડા સંબંધિત બીમારી થવી સામાન્ય બાબત છે, પરંતુ તમાકુથી હ્રદય પર પણ ખરાબ અસર પડે છે. ડૉક્ટર્સ મુજબ તમાકુમાં પર્ટિક્યુલર મૈટેરિયલ, નકટીન, નાઈટ્રોસાયમિન, કાર્બનમોનોઓક્સાઈડ હોય છે. જેમાં રહેલું નાઈટ્રોસાયમિન ફેફસાંના કેન્સરનું કારણ બને છે, જ્યારે નાઈટ્રોસાયમિન હ્રદયની રક્ત વાહિકાઓને બ્લૉક કરી દે છે. જેનાથી ત્યાં પ્લાક જમા થઈ જાય ચે અને લોકોને હાર્ટ સંબંધિત સમસ્યાઓ શરૂ થઈ જાય છે. એક સર્વે મુજબ તમાકુ ના લેનારની અપેક્ષાએ તમાકુનું સેવન કરનાર લોકોમાં હ્રદય સંબંધિત ગંભીર બીમારીનો ખતરો 2-4 ગણા વધુ હોય છે.












Click it and Unblock the Notifications
