દુનિયાભરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 35 લાખને પાર, મોતનો આંકડો અઢી લાખ નજીક
કોરોના વાયરસના ખતરો દુનિયામાં સતત વધી રહ્યો છો. દુનિયાભરમાં સંક્રમિતોની સંખ્યા 35 લાખને પાર પહોંચી ગઈ છે.
કોરોના વાયરસના ખતરો દુનિયામાં સતત વધી રહ્યો છો. દુનિયાભરમાં સંક્રમિતોની સંખ્યા 35 લાખને પાર પહોંચી ગઈ છે. વળી, મોતનો આંકડો પણ અઢી લાખ પાસે પહોંચી ગયો છે. અમેરિકા અને યુરોપ કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત છે. કોરોનાના દુનિયામાં સૌથી વધુ કેસ અમેરિકાથી આવ્યા છે અને સૌથી વધુ મોત થયા છે. વળી, ભારતમાં પણ ગયા એક અઠવાડિયાથી સંક્રમણના કેસોમમાં ઉછાળો જોઈ શકાય છે.

સોમવાર દુનિયાભરમાં અત્યાર સુધી 35,63,689 લોકોમાં કોરોના સંક્રમણ જોવા મળ્યુ છે. અત્યાર સુધી 2,48,146 લોકોના મોત કોરોનાના કારણે થઈ ચૂક્યા છે. અત્યાર સુધી દુનિયાભરમાં કોરોનાથી રિકવર થયેલા લોકોની સંખ્યા 11,53,253 છે. અમેરિકામાં કોરોના સંક્રમિતો લોકોની સંખ્યા 1,188,122 છે. વળી, 68,598 મોત અમેરિકામાં કોરોનાથી થઈ છે જે દુનિયામાં સૌથી વધુ છે. ઈટલીમાં 28,884, ઈંગ્લેન્ડમાં 28,446, સ્પેનમાં 25,264, ફ્રાંસમાં 24,894, બેલ્જિયમમાં 7844, જર્મનીમાં 6866 અને ઈરાનમાં 6203 લોકોના જીવ આ વાયરસ લઈ ચૂક્યુ છે.
ભારતની વાત કરવામાં આવે તો અહીં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 42 હજારને પાર જઈ ચૂકી છે. આરોગ્ય મંત્રાલય મુજબ ભારતમાં કોવિડ-19 પૉઝિટીવ કેસોની કુલ સંખ્યા હવે 42,533 થઈ ગઈ છે અને 1373 મોત થયા છે. દેશમાં અત્યારે 29453 એક્ટિવ કેસ છે એટલે કે આ લોકોનો હોસ્પિટલમાં ચાલી રહ્યો છે. વળી, 11707 દર્દી રિકવર થયા છે અને અત્યાર સુધી રિકવર થઈને જઈ ચૂક્યા છે.
ભારતમાં કોરોના સંક્રમણના કેસ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સૌથી વધુ છ. મહારાષ્ટ્રમાં આ મહામારીથી પીડિતોની સંખ્યા 12,974 છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી સૌથી વધુ 548 લોકોના મોત થયા છે. ગુજરાતમાં કોરોના સંક્રમણના 5428 કેસ સામે આવ્યા છે અને 290 લોકોના મોત થયા છે. ત્યારબાદ દિલ્લીમાં 45439, તમિલનાડુમાં 3023, રાજસ્થાનમાં 2886 અને મધ્યપ્રદેશમાં 2846 કેસ સામે આવી ચૂક્યા છે.
-
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain




Click it and Unblock the Notifications
