અમિતાભની ઇચ્છા નથી કે હું લોકસભાની ચુંટણી લડું: જયા
જયા બચ્ચનને વર્ષ 2014માં ભદોહીથી લોકસભાની ચુંટણી લડવા અંગેની સંભાવના વિશે પુછવામાં આવતાં તેમણે સંવાદદાતાઓ કહ્યું હતું કે હું ક્યારેય લોકસભાની ચુંટણી લડીશ નહી, કારણ કે અમિતજી ઇચ્છતા નથી કે હું લોકસભાની ચુંટણી લડું. તેમને કહ્યું હતું કે આવી પરિસ્થિતી સજાર્શે તો અમિતાભ બચ્ચન તેમને ઘરમાં જ રહેવાનું કહેશે.
અત્રે ઉલ્લેખનીય છે ભદોહીને એક આદર્શ જિલ્લાના રૂપમાં વિકસિત કરવામાં મદદ કરવાની જાહેરાત કરી છે, જો કે તેઓ આ સીટ પરથી લોકસભાની ચુંટણી લડે તેવી અટકળો ચાલી રહી હતી.
સમાજવાદી પાર્ટીના પૂર્વ મહાસચિવ અમરસિંહ પાર્ટીમાં પરત ફરશે તેવી સંભાવનાઓ વિશે પૂછવામાં આવતાં જયા બચ્ચને હસતાં હસતાં કહ્યું હતું કે તે એક બંધ અધ્યાય છે. એક તારો હતો જે ડૂબી ગયો.
તેમને કહ્યું હતું કે જે લોકો એફડીઆઇની મધ્યસ્થતા કરી રહેલ સરકારની સંસદમાં જીત માટે સપા અને બસપાને જવાબદાર ગણાવે છે તે લોકો જાણી લે કે એફડીઆઇનું સમર્થન ફક્ત બસપાએ જ કર્યું છે. સપાના સભ્યો તો વિરોધમાં સદનમાંથી બહાર પ્રસ્થાન કરી ગયા હતા.