Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'જ્યાં સુધી એક લાખ યુવાનો 5 બાળકો પેદા કરવાની શપથ ન લે આમરણ અનશન નહિ તોડું'

'જ્યાં સુધી એક લાખ યુવાનો 5 બાળકો પેદા કરવાની શપથ ન લે આમરણ અનશન નહિ તોડું'

નવી દિલ્હીઃ વધતી જનસંખ્યા દેશની સૌથી મોટી સમસ્યાઓમાની એક છે. જનસંખ્યા નિયંત્રણને લઈ સરકારી અને બિન સરકારી સ્તર પર લોકોને જાગરુક કરાવવા માટે કેટલીય વાર અભિયાન ચલાવવામાં આવે છે. જો કે આ અભિયાનો છતાં જનસંખ્યામાં કોઈ પ્રકારનો ઘટાડો જોવા નથી મળતો. હવે ગાઝિયાબાદના એક સંતે જનસંખ્યાન લઈ એક અલગ જ પ્રકારની માંગણી ઉઠાવી દીધી છે. ગાઝિયાબાદના ડાસના વિસ્તારમાં સ્થિત શિવ શક્તિ ધામ મંદિરના મહંત સ્વામી યતિ નરસિંહાનંદ સરસ્વતી આમરણ અનશન પર બેસી ગયા છે. નરસિંહાનંદની માંગ છે કે જ્યાં સુધી એક લાખ યુવાઓ તેમની પાસે આવી પાંચ બાળકો પેદા કરવાની શપથ ન લે ત્યાં સુધી આમરણ અનશન ચાલુ રાખશે.

નરસિંહાનંદની આ માંગનું કારણ શું છે

નરસિંહાનંદની આ માંગનું કારણ શું છે

તમને ભલે સ્વામી યતિ નરસિંહાનંદ સરસ્વતીની આ માંગ અજી લાગે, પરંતુ આની પાછળ એક મોટું કારણ છે. નરસિંહાનંદ સરસ્વતી અગાઉ પણ જનસંખ્યા નિયંત્રણ કાયદાની માંગને લઈ આમરણ અનશન પર બેસી ચૂક્યા છે. તેમણે મંદિરના પટાંગણમાં જનસંખ્યા નિયંત્રણ કાયદાની માંગને લઈ લાંબા સમયનું અનશન કર્યું હતું. જો કે તેમની માંગણીને લઈ સરકાર તરફથી કોઈ સુનાવણી ન થઈ અને તેમણે પોતાનું અનશન તોડવું પડ્યું હતું. હવે નરસિંહાનંદ સરસ્વતીએ એક નવી રીતે જનસંખ્યા નિયંત્રણ કરાવવા માટે વિરોધ સ્વરૂપે આ માંગણી ઉઠાવી છે. નરસિંહાનંદ સરસ્વતીએ ઘોષણા કરી કે તેમના આમરણ અનશન ત્યાં સુધી ચાલુ રહેશે, જ્યાં સુધી એક લાખ યુવા મંદિરમાં આવી પાંચ બાળકો પેદા કરવાની શપથ ન લે.

વધુમાં વધુ બાળકો પેદા કરે યુવાઓ

વધુમાં વધુ બાળકો પેદા કરે યુવાઓ

નરસિંહાનંદ સરસ્વતીએ આ મામલે કહ્યું કે દેશમાં જો આજે કોઈ હિંદુ હિતની વાત કરે છે તો તેને અપમાનિત કરવામાં આવે છે, અલગ અલગ રીતે પરેશાન કરવામાં આવે છે. બિહારની બેગૂસરાય સીટથી લોકસભા સાંસદ ગિરિરાજ સિંહ તેનું પ્રત્યક્ષ ઉદાહરણ છે. તેમણે જ્યારે જ્યારે જનસંખ્યા નિયંત્રણની વાત કહી છે ત્યારે ત્યારે તેમનો વિરોધ કરવામાં આવ્યો. અમે લોકો પાછલા કેટલાય વર્ષોથી સરકાર પાસેથી માંગણી કરી રહ્યા છીએ કે તેઓ જનસંખ્યા નિયંત્રણને લઈ એક કડક કાનૂન લાવે, પરંતુ સરકાર આ મુદ્દે ગંભીર નથી. હવે હું ફરી એકવાર આમરણ અનશન કરી રહ્યો છું પરંતુ આ વખતે મારી માંગણી સરકાર પાસે નથી. આ વખતે મારી માંગણી યુવાઓથી છે કે તેઓ વધુમાં વધુ બાળકો પેદા કરે. જ્યાં સુધી યુવાઓ મારી સામે આવી આ મંદિરમાં પ્રણ નહિ લે, ત્યાં સુધી હું અનશન નહિ તોડું.

કોણ છે યતિ નરસિંહાનંદ સરસ્વતી

કોણ છે યતિ નરસિંહાનંદ સરસ્વતી

સ્વામી યતિ નરસિંહાનંદ સરસ્વતી ગાઝિયાબાદના ડાસના વિસ્તારમાં સ્થિત શિવ શક્તિ ધામ મંદિરના મહંત છે. નરસિંહાનંદ સરસ્વતી અગાઉ પણ કેટલીયવાર પોતાના નિવેદનોને લઈ વિવાદમાં આવી ચૂક્યા છે. હાલમાં જ નથૂરામ ગોડ્સેને લઈ ઉઠેલ વિવાદ વચ્ચે તેમણે ફેસબુક પર પોસ્ટ નાખતા લખ્યું હતું કે ધર્મની રક્ષા માટે ખુશીથી પોતાના પ્રાણ આપનાર અમર બલિદાની પંડિત નથુરામ ગોડસજીને તેમની જયંતિ પર કોટી કોટી નમન. આવા અનેક વિવાદિત નિવેદનો તેઓ આપી ચૂક્યા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X