Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Yamuna Expressway પરની મુસાફરી સરળ બનાવશે YEIDA, લીધો મહત્વનો નિર્ણય

Yamuna Expressway Industrial Development Authority : ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની સરકાર લોકોની મુસાફરી અને કનેક્ટિવિટી વધારવા માટે મોટા નિર્ણય લઇ રહી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના કાર્યાલયમાંથી પૂર્વાંચલ એક્સપ્રેસ વે અને બુદેલખંડ એક્સપ્રેસ વેને શરૂ કરવામાં આવ્યો હતો.

જે બાદ ઉત્તર પ્રદેશ સરકાર હવે પ્રયાગરાજથી મેરઠ સુધીના દેશના સૌથી મોટા ગંગા એક્સપ્રેસ વે પર ઝડપથી કામ કરી રહી છે. જોકે, આ દરમિયાન યોગી સરકાર આગ્રાથી નોઈડા સુધીના 165 કિમીના યમુના એક્સપ્રેસ વે પર મુસાફરોની મુસાફરીને સરળ બનાવવા માટે તમામ સંભવિત પગલાં લઈ રહી છે. YEIDAના અધિકારીઓનું માનીએ તો આ 6 લેન એક્સપ્રેસ વેને આઠ લેનમાં બદલવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

Yamuna Expressway

આ એક્સપ્રેસ વે ઘણા રાજ્યોની જીવાદોરી છે

ઉત્તર પ્રદેશના આગ્રાથી નોઈડા સુધી બનેલો યમુના એક્સપ્રેસવે ઉત્તર પ્રદેશની સાથે અન્ય પડોશી રાજ્યો માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. એક્સપ્રેસ વે પર સતત વધી રહેલા દબાણને ધ્યાનમાં રાખીને હવે તેને પહોળો કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ થયા પછી તે મુસાફરી કરતા મુસાફરોને એક મહાન અનુભવ પ્રદાન કરવાની સાથે ઘણો સમય બચાવશે. હવે સ્થિતિ એવી છે કે, વાહનોના ધસારાને કારણે આ એક્સપ્રેસ વે પર દરરોજ જામની સમસ્યાનો સામનો કરવો પડે છે. ખાસ કરીને શિયાળામાં ધુમ્મસ દરમિયાન આ એક્સપ્રેસ વે પર અકસ્માતો થાય છે. પહોળા થયા બાદ આ બનાવોમાં પણ ઘટાડો થશે અને લોકો સરળતાથી મુસાફરી કરી શકશે.

વાહનોની વધતી ભીડને કારણે ભર્યું સરકારે આ પગલું

આગ્રાથી નોઈડા સુધીના આ એક્સપ્રેસ વે પર વાહનોની સંખ્યા સતત વધી રહી છે. આ એક્સપ્રેસ વે પર ટોલ હેન્ડલ કરતી કંપનીના જણાવ્યા અનુસાર, આ એક્સપ્રેસ વે પર દરરોજ 32,000 વાહનો પસાર થાય છે, જેના કારણે દિવસેને દિવસે ભીડ વધી રહી છે. વાહનોના આ દબાણને ઘટાડવા માટે IDAએ હવે આ 6 લેન એક્સપ્રેસ વેને આઠ લેન સુધી વધારવાની યોજના બનાવી છે.

આ સંદર્ભે YEIDAએ તેને તૈયાર કરનારી કંપની Jaypee Infratech Limited પાસેથી ત્રણથી ચાર મહિનામાં વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) માંગ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ તેના પર કામ શરૂ કરવામાં આવશે.

રિપોર્ટ બાદ યમુના એક્સપ્રેસ વેને 6 લેનમાંથી 8 લેનમાં ફેરવવામાં આવશે

હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલમાં YEIDAના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (NIAL)ના સીઈઓ અરુણવીર સિંહને ટાંકવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર, અરુણવીર સિંહે જણાવ્યું હતું કે, જેપી ઈન્ફ્રાટેકનો ડીપીઆર રિપોર્ટ આવતા જ આ દિશામાં કામ શરૂ થઈ જશે.

કરાર મુજબ, વાહનોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને તેને 6 લેનમાંથી 8 લેનમાં ફેરવવાની જવાબદારી ટોલ ઓપરેટરની છે. કારણ કે, તેના પર વાહનોની સંખ્યા પ્રતિદિન 32 હજાર સુધી પહોંચી ગઈ છે. JILને વિવિધ સૂચનો કરવામાં આવ્યા છે. આ સાથે એવું પણ કહ્યું હતું કે, સાઇડની ઊંચાઈ વધુ વધારવી જોઈએ જેથી લોકો અકસ્માત બાદ એક્સપ્રેસ વે પરથી નીચે ન પડે.

યમુના એક્સપ્રેસ વેને પહોળો કરવામાં આવશે

આ દરમિયાન આ એક્સપ્રેસ વેને પ્રદેશના અન્ય મહત્વના શહેરો અને નગરો સાથે જોડવાની તૈયારીઓ ચાલી રહી છે, તેથી તેના વિસ્તરણની યોજનાઓ તૈયાર કરવામાં આવી રહી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ બન્યા બાદ આ એક્સપ્રેસ વે પર વાહનોનું દબાણ વધુ વધશે, જેના માટે તૈયારીઓ થઈ રહી છે. એક્સપ્રેસ વેના પહોળા થવાથી એરપોર્ટથી મુસાફરોને વધુ સારી કનેક્ટિવિટી પણ મળશે.

ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા યમુના એક્સપ્રેસ વેની પહોળાઈ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, વાહનોના વધતા દબાણ અને ભવિષ્યના પડકારોનો સામનો કરવા માટે તેને 6 થી 8 લેન બનાવવાની તૈયારી કરવામાં આવી રહી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X