યસ બેંક સંકટ પર પી. ચિદમ્બરે કર્યા સવાલ, કહ્યું સરકાર અને આરબીઆઇ કેમ ચુપ રહ્યા
યસ બેંક સંકટને લઈને કોંગ્રેસના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન પી. ચિદમ્બરમે કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. ચિદમ્બરમે શનિવારે કહ્યું હતું કે યસ બેન્કનું ડૂબવું એ વર્તમાન સરકારની દેખરેખ હેઠ
યસ બેંક સંકટને લઈને કોંગ્રેસના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન પી. ચિદમ્બરમે કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. ચિદમ્બરમે શનિવારે કહ્યું હતું કે યસ બેન્કનું ડૂબવું એ વર્તમાન સરકારની દેખરેખ હેઠળ નાણાકીય સંસ્થાઓના ગેરવહીવટનું પરિણામ છે. યસ બેન્કે લોનનું વિતરણ કેવી રીતે કર્યું તેના પર આરબીઆઈ અને સરકારનું મૌન સવાલો ઉભા કરે છે. છેવટે, આરબીઆઈ અને નાણાં મંત્રાલયે પહેલા તેના વિશે કેમ વિચાર્યું નહીં. તેમણે કહ્યું કે સરકાર અને નાણાં પ્રધાને યસ બેંકના પતનને લોકો અને મીડિયાથી છુપાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ નાણાકીય સંસ્થાઓની ગેરવહીવટ લોકો સમક્ષ આવી રહી છે.

રણદીપ સુરજેવાલ સાથે કરી પત્રકાર પરિષદ
પી.ચિદમ્બરમે રણદીપ સુરજેવાલા સાથેની એક પત્રકાર પરિષદમાં કહ્યું કે, નાણાં પ્રધાન, મને કહો કે યસ બેન્કની લોન કેવી રીતે 2014 થી 2019 ની વચ્ચે પાંચ ગણી વધી. આ હું તેમની લોન બુક પરથી કહી રહ્યો છું, માર્ચ 2014 માં લોન બુકની રકમ 55 હજાર કરોડ હતી જે માર્ચ 2019 માં વધીને 2 લાખ કરોડથી વધુ થઈ ગઈ છે. માત્ર બે વર્ષમાં તે 98 હજાર કરોડથી 2 લાખ કરોડ રૂપિયા કેવી રીતે પહોંચ્યું.

નાણા મંત્રી પર કર્યા પ્રહાર
ચિદમ્બરમે કહ્યું કે નાણાં પ્રધાન યુપીએની સત્તાની વાત કરે છે અને હું નાણામંત્રી છું. 2014 પહેલાં વાત અવગણો, પરંતુ ઓછામાં ઓછું અમને કહો કે યસ બેન્કને 2014 પછી લોનનું વિતરણ કરવાની મંજૂરી કોણે આપી હતી. શું કોંગ્રેસે આ કર્યું? યસ બેંકને બચાવવા માટે, ચિદમ્બરમે એસબીઆઈના 49% શેર 2450 કરોડ રૂપિયામાં ખરીદવા જણાવ્યું હતું, આ યોજનાને બદલે યસ બેન્કનુ ટેક ઓવર કરવામાં આવે અને એસબીઆઈની ખરાબ લોન બુક વધારવામાં આવે.

મોદી સરકાર પર કર્યા પ્રહાર
આ અગાઉ શુક્રવારે પૂર્વ નાણાં પ્રધાન ચિદમ્બરમે લખ્યું હતું કે, 6 વર્ષથી ભાજપ સત્તા પર છે. નાણાકીય સંસ્થાઓને નિયંત્રિત કરવાની અને તેમને નિયંત્રિત કરવાની તેમની ક્ષમતા ખુલ્લી થઈ રહી છે. પહેલા પીએમસી બેંક, હવે યસ બેંક. શું સરકાર જરા પણ ચિંતિત નથી? શું તે તેની જવાબદારીમાંથી છટકી શકે? શું હવે કતારમાં ત્રીજી બેંક છે?

આરબીઆઇએ યસ બેંક પર લગાવ્યા પ્રતિબંધ
તમને જણાવી દઇએ કે આરબીઆઈએ રોકડની અછતનો સામનો કરી રહેલા યસ બેંકમાંથી પૈસા ઉપાડવા માટે મહત્તમ 50 હજાર રૂપિયાની મર્યાદા નક્કી કરી છે. બેંકના ગ્રાહકો એક મહિનામાં 50 હજારથી વધુ ઉપાડ કરી શકશે નહીં. ગુરુવારે મોડીરાતે જારી કરાયેલા એક નિવેદનમાં આરબીઆઈએ કહ્યું કે યસ બેંકના ડિરેક્ટર બોર્ડનું તાત્કાલિક અસરથી વિસર્જન કરવામાં આવ્યું છે. રિઝર્વ બેંકે 30 દિવસ માટે તેના બોર્ડનો નિયંત્રણ લઈ લીધો છે. ખાનગી ક્ષેત્રની દેશની ચોથી સૌથી મોટી બેંક યસ બેન્ક પતનની આરે છે. યસ બેંકની દેશભરમાં 1000 થી વધુ શાખાઓ અને 1800 એટીએમ છે. બેંક ખાતા ધારકોમાં ચિંતા છે.
આ પણ વાંચો: મહિલા દિન નિમિત્તે સરકારની ભેટ, ફ્રીમાં ફરી શકશે એએસઆઈ સ્મારક
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
