For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જ્યારે કોવિડ આવ્યો ત્યારે એકેય દેશ તૈયાર નહોતો, ત્યારે યોગ જ આંતરિક શક્તિનો સ્રોત બન્યોઃ મોદી

જ્યારે કોવિડ આવ્યો ત્યારે એકેય દેશ તૈયાર નહોતો, ત્યારે યોગ જ આંતરિક શક્તિનો સ્રોત બન્યોઃ મોદી

|
Google Oneindia Gujarati News

સાતમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર સંબોધિત કરતા પીએમ મોદીએ લોકોને શુભકામનાઓ આપી છે. તેમણે કહ્યું કે આજે જ્યારે આખું વિશ્વ કોરોના મહામારીનો મુકાબલો કરી રહ્યું છે, ત્યારે યોગ ઉમ્મીદની કિરણ બન્યા છે. બે વર્ષથી દુનિયાભરના દેશમાં અને ભારતમાં ભલે મોટા સાર્વજનિક કાર્યક્રમ આયોજિત ન થયા હોય, પરંતુ યોગ દિવસ પ્રત્યે ઉત્સાહ જરાય ઘટ્યો નથી. કોરોના છતાં આ વખતેના યોગ દિવસની થીમ યોગા અને વેલનેસે કરોડો લોકોમાં યોગ પ્રત્યે ઉત્સાહ વધારી દીધો છે.

PM Modi

પીએમ મોદીએ કહ્યું કે આજે યોગ દિવસ પર કામના કરું છુ્ં કે દરેક દેશ, દરેક સમાજ અને દરેક વ્યક્તિ સ્વસ્થ થાય. બધા એકસાથે મળીને એકેબીજાની તાકાત બને. આપણા ઋષિ મુનિઓએ યોગ માટે 'સમત્વં યોગ ઉચ્ચતે', આ પરિભાષા આપી હતી. તેમણે સુખ-દુખમાં સમાન રહેવા, સંયમને એક પ્રકારે યોગનો પેરામીટર બનાવ્યો હતો. આજે આ વૈશ્વિક આફતમાં યોગે આ સાબિત કરી દેખાડ્યું.

પીએમ મોદીએ કહ્યું કે કોરોનાના દોઢ વર્ષમાં ભારત સહિત કેટલાય દેશોએ મોટા સંકટનો સામનો કર્યો. દુનિયાના મોટાભાગના દેશો માટે યોગ દિવસ તેમની સદીઓ જૂનો સાંસ્કૃતિક પર્વ નથી. આ મુશ્કેલ સમયમાં, આટલી પરેશાનીમાં લોકો આને આસાનીથી ભૂલી શકતા હતા, તેની ઉપેક્ષા કરી શકતા હતા, પરંતુ તેનાથી વિપરીત લોકોમાં યોગનો ઉત્સાહ વધ્યો છે. યોગથી પ્રેમ વધ્યો છે. પાછલા દોઢ વર્ષમાં દુનિયાના ખુણે-ખુણે લાખો નવા યોગ સાધક બન્યા છે.

વડાપ્રધાને આગળ કહ્યું કે યોગને સંયમ અને અનુશાસનનો પહેલો પર્યાય કહેવામાં આવ્યો છે. બધા તેને પોતાના જીવનમાં ઉતારવાનો પ્રયત્ન પણ કરે છે. જ્યારે કોરોનાના અદ્રશ્ય વાયરસે દુનિયામાં દસ્તક આપી હતી ત્યારે કોઈપણ દેશ સાધનોથી, સામર્થ્યથી અને માનસિક અવસ્થાએ તૈયાર નહોતો. આપણે બધાએ જોયું કે આવા અઘરા સમયમાં યોગ આત્મબળનું એક મોટું માધ્યમ બન્યો. યોગે લોકોમાં ભરોસો દેખાડ્યો કે આપણે બીમારીથી લડી શકીએ છીએ।

તેમણે કહ્યું કે હું જ્યારે ફ્રંટલાઈન વોરિયરસ સાથે, ડૉક્ટર્સ સાથે વાત કરું છું તો તેો જણાવે છે કે કોરોના વિરુદ્ધ લડાઈમાં તેમણે યોગને પણ પોતાનું સુરક્ષા કવચ બનાવ્યું છે. તબીબોએ યોગથી ખુદને તો મજબૂત કર્યા જ સાથે જ પોતાના દર્દીઓને પણ જલદી સ્વસ્થ કરવામાં તેનો ઉપયોગ પણ કર્યો. આજે હોસ્પિટલમાંથી એવી કેટલીય તસવીરો આવે છે, જ્યાં ડૉક્ટર્સ, નર્દો દર્દીઓને યોગ સીખવી રહી છે. ક્યાંક દર્દી પોતાના અનુભવ શેર કરી રહ્યા છે. પ્રાણાયામ, અનુલોમ વિલોમ જેવી બ્રીદિંગ એક્સરસાઈઝથી આપણા રેસ્પેરેટરી સિસ્ટમને કેટલી તાકાત મળે છે, આ પણ દુનિયાના નિષ્ણાંતોએ ખુદ જણાવ્યું છે.

JOIN TELEGRAM CHANNEL

English summary
yoga became the source of inner strength during covid pandemic: Modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X