કૃષિ કાયદા રદ્દ થયા બાદ યોગીએ કહ્યું - લોકશાહીમાં સંવાદને નજરઅંદાજ ન કરી શકાય, PMનો ઐતિહાસિક નિર્ણય
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચવાના નિર્ણય પર UPના CM યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, જ્યારે ખેડૂતોના સંગઠનો 3 કૃષિ કાયદાઓ વિરુદ્ધ બહાર આવ્યા, ત્યારે સરકારે દરેક સ્તરે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો.
લખનઉ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચવાના નિર્ણય પર ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, જ્યારે ખેડૂતોના સંગઠનો 3 કૃષિ કાયદાઓ વિરુદ્ધ બહાર આવ્યા, ત્યારે સરકારે દરેક સ્તરે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો. બની શકે કે, અમારા સ્તરે અભાવ છે કે, અમે તે ખેડૂતોને અમારી વાત સમજાવવામાં નિષ્ફળ ગયા, જેના કારણે તેઓએ આંદોલનનો માર્ગ અપનાવવો પડ્યો.

CMએ કહ્યું - તમે લોકશાહીમાં સંવાદને અવગણી શકો નહીં
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, કૃષિ કાયદા ભલે ગમે તે હોય, પરંતુ જો અવાજ ક્યાંયથી આવ્યો હોય, તો આપણે લોકશાહીમાં સંવાદને અવગણી શકીએ નહીં. જ્યારે પણ ક્યાંકથી અવાજ ઉઠ્યો છે, તે પણ સાંભળવામાં આવશે, અમે વાતચીત અને સંવાદ દ્વારા આ સમસ્યાઓનો ઉકેલ લાવીશું.
વડાપ્રધાન મોદીના આ નિર્ણયનું સ્વાગત કરતા યોગી આદિત્યનાથે કહ્યું કે, આપણે બધા જાણીએ છીએ કે, કેટલાક ખેડૂત સંગઠનો ત્રણ કૃષિ કાયદાઓને લઈને આંદોલન કરી રહ્યા હતા. આજે ગુરુ પર્વ પર હું ત્રણ કૃષિ કાયદાઓ પરત લઈને વડાપ્રધાન દ્વારા કરવામાં આવેલા ઐતિહાસિક કાર્યને હૃદયપૂર્વક આવકારું છું.
મુખ્યપ્રધાન યોગીએ કહ્યું કે, એક મોટો સમુદાય હતો જે માનતો હતો કે આવા કાયદા ખેડૂતોની આવક વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે, પરંતુ આ બધું હોવા છતાં કેટલાક ખેડૂત સંગઠનો તેની વિરુદ્ધમાં આવ્યા હતા. સરકારે દરેક સ્તરે એકબીજાની વચ્ચે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો. બની શકે કે, અમારા સ્તરે કોઈ ખામી રહી ગઈ હોય અને ખેડૂતોએ આંદોલનનો માર્ગ અપનાવવો પડ્યો હોય.












Click it and Unblock the Notifications
