For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

26/11નો ગુનેગાર લખવીની આઝાદી પર ભારતે ઊઠાવ્યો વાંધો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 26/11 મુંબઇ હુમલાનો આરોપી ટૂંક સમયમાં મુક્ત થઇ જશે, પરંતુ આવતી કાલે નહીં. કોર્ટે આતંકી ઝકીઉર રહેમાન લખવીને હિરાસતમાં લેવાના સરકારી આદેશને રદીયો આપી દીધો છે. ઇસ્લામાબાદ હાઇકોર્ટના ન્યાયાધિશ નૂર ઉલ હક કુરૈશીએ લખવીના વકીલની દલિલો સાંભળ્યા બાદ લોક વ્યવસ્થા બનાવી રાખવાથી જોડાયેલા આદેશ પર લખવીની હિરાસત પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ પહેલા કોર્ટે આતંકવાદી ઝકીઉર રહેમાન લખવીના જેલથી મુક્ત થવાનો માર્ગ મોકળો કરી આપ્યો હતો.

zakir
ઇસ્લામાબાદ હાઇકોર્ટે તેને કેદમાં લેવાના આદેશ રદ્દ કરી દીધા છે. પાકિસ્તાન સરકારે પબ્લિક મેન્ટેનન્સ ઓર્ડર કાનૂનનો ઉપયોગ કરતા તેને કેદમાં જ રાખવા માટે કહ્યું હતું. પરંતુ કોર્ટે આ આદેશને રદ્દ કરી દીધો. એક એંટી ટેરર કોર્ટે લખવીને 18 ડિસેમ્બરના રોજ જામીન આપી દીધા હતા.

પરંતુ પાકિસ્તાન સરકારે તેને મુક્ત કરવા પર વિરોધ નોંધાવ્યો હતો. દબાણના પગલે પાકિસ્તાન સરકારે લખવીને કેદમાં જ રાખવાનો આદેશ આપવામાં આવ્યો. લખવીને મુક્ત કરવા પર ભારતે પણ પોતાનો કડક વિરોધ નોંધાવ્યો છે. ભારતે પાકિસ્તાન હાઇ કમિશ્નરને આ અંગે પોતાનો વાંધો નોંધાવ્યો છે.

English summary
In another move set to enrage India, the Islamabad High Court on Monday issued an interim order to cancel detention notification of 2008 Mumbai attacks accused Zaki-ur-Rehman Lakhvi, paving the way for his release out of jail.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X