26/11નો ગુનેગાર લખવીની આઝાદી પર ભારતે ઊઠાવ્યો વાંધો
નવી દિલ્હી, 26/11 મુંબઇ હુમલાનો આરોપી ટૂંક સમયમાં મુક્ત થઇ જશે, પરંતુ આવતી કાલે નહીં. કોર્ટે આતંકી ઝકીઉર રહેમાન લખવીને હિરાસતમાં લેવાના સરકારી આદેશને રદીયો આપી દીધો છે. ઇસ્લામાબાદ હાઇકોર્ટના ન્યાયાધિશ નૂર ઉલ હક કુરૈશીએ લખવીના વકીલની દલિલો સાંભળ્યા બાદ લોક વ્યવસ્થા બનાવી રાખવાથી જોડાયેલા આદેશ પર લખવીની હિરાસત પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ પહેલા કોર્ટે આતંકવાદી ઝકીઉર રહેમાન લખવીના જેલથી મુક્ત થવાનો માર્ગ મોકળો કરી આપ્યો હતો.

પરંતુ પાકિસ્તાન સરકારે તેને મુક્ત કરવા પર વિરોધ નોંધાવ્યો હતો. દબાણના પગલે પાકિસ્તાન સરકારે લખવીને કેદમાં જ રાખવાનો આદેશ આપવામાં આવ્યો. લખવીને મુક્ત કરવા પર ભારતે પણ પોતાનો કડક વિરોધ નોંધાવ્યો છે. ભારતે પાકિસ્તાન હાઇ કમિશ્નરને આ અંગે પોતાનો વાંધો નોંધાવ્યો છે.












Click it and Unblock the Notifications
