Anant-Radhika Pre-Wedding: જામનગરમાં પ્રીવેડિંગની તૈયારી, લગ્નમાં થશે 1000 કરોડનો ખર્ચ
Anant-Radhika Pre-Wedding: દેશના સૌથી અમીર બિઝનેસમેન મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણી ટૂંક સમયમાં રાધિકા મર્ચન્ટ સાથે લગ્નના બંધનમાં બંધાશે. 1 માર્ચથી 3 માર્ચ સુધી પ્રીવેડિંગ ફંક્શન ગુજરાતના જામનગરમાં આયોજીત કરવામાં આવી રહ્યું છે.
મોટા ઉદ્યોગપતિઓથી લઈને રમતગમતના ખેલાડીઓ અને ફિલ્મ સ્ટાર્સ પણ આ ફંક્શનમાં ભાગ લેવાના છે. બિલ ગેટ્સ અને માર્ક ઝુકરબર્ગ જેવા આંતરરાષ્ટ્રીય સેલેબ્સ પણ પ્રી-વેડિંગ ફંક્શનમાં હાજરી આપશે.

1000 કરોડનો ખર્ચ કરશે મુકેશ અંબાણી - મુકેશ અંબાણી તેમના નાના પુત્ર અનંત અંબાણીના લગ્નમાં ભરપૂર ખર્ચ કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ લગ્નમાં અંદાજે 1000 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. અત્યાર સુધી મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીના લગ્ન દેશના સૌથી મોંઘા લગ્ન હતા, જેમાં 700 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જોકે, હવે અનંત અંબાણીના લગ્ન દેશના સૌથી મોંઘા લગ્ન હશે.
લાઈવ શોમાં ખર્ચ કરવામાં આવશે કરોડો - આ ફંકશનમાં સૌથી વધુ ખર્ચ લાઈવ શો અને લાઈટ ડેકોરેશન પર થવાનો છે. મળતી માહિતી મુજબ આ ફંક્શનમાં ઈન્ટરનેશનલ સ્ટાર રિહાન્ના અને બોલીવુડ સિંગર અરિજીત સિંહ લાઈવ શો કરવાના છે.
ઈશા અંબાણીએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ - ઈશા અંબાણીના લગ્ન દેશના સૌથી મોંઘા લગ્નોમાં ટોપ પર છે. ઈશા અંબાણીએ પોતાના લગ્નમાં 90 કરોડ રૂપિયાનો લહેંગા પહેરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. તે જ સમયે, સુબ્રત રોયના લગ્ન બીજા સ્થાને છે. આ સિવાય બોલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને અનુષ્કા શર્માના લગ્નનું કુલ બજેટ 90-95 કરોડ રૂપિયા હતું.
અનંત-રાધિકાના લગ્ન જામનગરમાં થઈ રહ્યા છે. કારણ કે, અનંત અંબાણીના દાદીનો જન્મ જામનગરમાં થયો હતો. ત્યાંથી જ ધીરુભાઈ અંબાણી અને પિતા મુકેશ અંબાણીએ તેમના બિઝનેસનો પાયો નાખ્યો હતો. આ કારણોસર અનંત-રાધિકાના લગ્નનું આયોજન જામનગરમાં જ કરવામાં આવી રહ્યું છે. અનંત અંબાણી જામનગરમાં ઉછર્યા છે અને પ્રી-વેડિંગનું ભવ્ય ફંક્શન પણ 1 થી 3 માર્ચ દરમિયાન ગુજરાતના જામનગરમાં યોજાશે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
