21 કલાકની મહેનત બાદ પણ મળી નિષ્ફળતા, બોરવેલમાંથી બહાર કઢાયેલી બાળકીનું મોત
જામનગરમાં શનિવારના રોજ બે વર્ષની બાળકી બોરવેલમાં પડી ગઇ હતી. બોરવેલમાં ફસાયેલી બાળકીને બચાવવા માટે 21 કલાક રેસક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું.
આ બાળકીને મહામહેનતે બહાર કાઢી હતી, જે બાદ તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના ડૉક્ટર્સે તેને મૃત જાહેર કરી હતી.

21 કલાક બાદ બાળકીને બહાર કઢાઇ - NDRFની મદદથી બાળકીને બચાવી લેવામાં આવી. રોશનીને 21 કલાક બાદ બોરવેલમાંથી બહાર કાઢવામાં આવી હતી. એનડીઆરએફની ટીમને બાળકીને બહાર કાઢવામાં સફળતા મળી હતી.
બાળકીને આજે એટલે કે રવિવારે સવારે લગભગ 5.45 કલાકે બહાર કાઢવામાં આવી હતી. બાળકી શનિવારે સવારે 9:30 વાગ્યે બોરવેલમાં પડી હતી.
બાળકીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી - બાળકીને બહાર કાઢ્યા બાદ 108 એમ્બ્યુલન્સ મારફતે શહેરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં હોસ્પિટલના તબીબોએ બાળકીનું ચેકઅપ કરીને તેને મૃત જાહેર કરી હતી. હોસ્પિટલે બાળકીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી છે. આ પછી બાળકીનો મૃતદેહ તેના માતા-પિતાને સોંપવામાં આવશે.
બોરવેલમાં 25-30 ફૂટની ઊંડાઈએ છોકરી ફસાઈ ગઈ હતી. આ ઘટના જામનગર તાલુકાના જામવંતલીની સીમમાં આવેલા તમચાણ ગામમાં બની હતી, જ્યાં એક ખેતર પાસે બોરવેલ હતો. બોરવેલમાં ફસાયેલી બાળકી ખેત મજૂરની પુત્રી હતી. તે મધ્યપ્રદેશના દેવપુરાનો રહેવાસી છે અને જામનગરમાં નોકરી કરે છે.












Click it and Unblock the Notifications
