For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વૃદ્ધોએ પોતાને રિવર્સ ક્વોરેન્ટાઇન કરી લેવા જોઇએઃ જામનગર કલેક્ટર

વૃદ્ધોએ પોતાને રિવર્સ ક્વોરેન્ટાઇન કરી લેવા જોઇએઃ જામનગર કલેક્ટર

|
Google Oneindia Gujarati News

આખા ગુજરાતમાં કોરોના વાયરસ તબાહી મચાવી રહ્યું છે, દિવસેને દિવસે કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. અમદાવાદ, સુરત, વડોદરાની હાલત સૌથી ખરાબ છે. જામનગર જિલ્લો પણ કોરોનાથી બચી નથી શક્યો. અત્યાર સુધીમાં જામનગરમાંકુલ 500થી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં જામનગરમાં 20 નવા કેસ પોઝિટિવ નોંધાયા છે. ત્યારે જામનગરના કલેક્ટરે પ્રજાજોગ સંદેશ આપ્યો છે.

coronavirus

કલેક્ટરે પોતાના પ્રજાજોગ સંદેશમાં કહ્યું કે, "હાલમાં આવતા પોઝિટિવ દર્દીઓમાંથી સૌથી વધુ સિનિયર સિટીઝનોનો સમાવેશ થયો છે. જેમાં આજે 89 વર્ષથી ઉપરના વૃદ્ધો પણ કોરોના પોઝિટિવ જણાયા છે. જે લોકો સામાન્યતઃ ઘરની બહાર નીકળતા નથી તેવું જણાય છે, ત્યારે આવા દર્દીઓ પોતાના પરિવારના કોઇ વ્યક્તિ કે જેઓ બહારથી અવર જવર કરતા હોય અને સંભવતઃ એસિમ્પટમેટીક હોય તેના સંપર્કમાં આવેલા હોય શકે છે."

પોતાના સંદેશમાં કલેક્ટર આગળ લખ્યું કે, 'આ સમયે વૃદ્ધો રિવર્સ ક્વોરેન્ટાઇન એટલે કે બીમાર ના હોવ છતાં સુરક્ષિત રાખવા માટે ખુદને એકલા ક્વોરેન્ટાઇન કરી લેવા જોઇએ અથવા ઘરના અન્ય સભ્યો પોતાની આદત સુધારી ધ્યાન રાખે તો આ સંક્રમણથી બચી શકાશે.'

ભારતનો પહેલો કેસ, 71 ટકા દાઝી ગયેલ કોરોના પોઝિટિવ મહિલાનો ચમત્કારિક બચાવભારતનો પહેલો કેસ, 71 ટકા દાઝી ગયેલ કોરોના પોઝિટિવ મહિલાનો ચમત્કારિક બચાવ

English summary
its time for senior citizens to reverse quarantine them self: Collector, Jamnagar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X