Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Jamnagar: વધુ સુરક્ષિત બનશે દરિયાઈ સરહદ, સર્વેલન્સ માટે ખરીદશે નેવી કોસ્ટ ગાર્ડ 15 સી-295 એરક્રાફ્ટ

Jamnagar: સંરક્ષણ ક્ષેત્રમાં મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન આપતા ભારતીય કોસ્ટ ગાર્ડ અને નેવી 15 સી-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ખરીદશે. ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ અને એરબસ વચ્ચેના સંયુક્ત સાહસમાં ભારતમાં તેનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, સંરક્ષણ મંત્રાલય 15 એરક્રાફ્ટ ખરીદવાના પ્રસ્તાવના અંતિમ તબક્કામાં છે, જેમાંથી 9 નેવી દ્વારા ખરીદવામાં આવશે, જ્યારે 6 ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા ખરીદવામાં આવશે.

15 C-295 aircraft

સંરક્ષણ અધિકારીઓએ શું કહ્યું? - સંરક્ષણ અધિકારીઓએ જણાવ્યું હતું કે, પરિવહન વિમાન જરૂરી રડાર અને સેન્સરથી સજ્જ હશે અને સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠનના સેન્ટર ફોર એરબોર્ન સિસ્ટમ્સ (CABS) દ્વારા તેને મેરીટાઇમ પેટ્રોલ એરક્રાફ્ટમાં રૂપાંતરિત કરવામાં આવશે.

ભારતીય કોસ્ટ ગાર્ડના ચીફ ડાયરેક્ટર જનરલ રાકેશ પાલે જણાવ્યું હતું કે, લાંબા અંતરના મેરીટાઇમ સર્વેલન્સ એરક્રાફ્ટને હસ્તગત કરવાની યોજના છે. ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ સાથે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે, જેમાં અમે છ C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ મેળવવા જઈ રહ્યા છીએ.

ભારતીય કોસ્ટ ગાર્ડના ચીફ ડાયરેક્ટર જનરલ રાકેશ પાલે જણાવ્યું હતું કે, અમારી એક્વિઝિશન પ્રક્રિયા ઝડપથી આગળ વધે તેની ખાતરી કરવા માટે સંરક્ષણ મંત્રાલય અમને પર્યાપ્ત ભંડોળ આપી રહ્યું છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X