Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Gir Somnath News: ગીર સોમનાથના 4 તાલુકામાં 1930 જમીન રી સર્વેની અરજીઓનો નિકાલ કરાયો

Gir Somnath News: આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નનો મહેસૂલ વિભાગ વતી ઉત્તર આપતાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, ગુજરાતના 18046 ગામોમાં જમીન રી સર્વે-માપણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

જેમાં ગામોના ક્લસ્ટર બનાવીને ખેડૂતોની હાજરીમાં જમીન માપણીની અરજીઓનો નિકાલ કરવામાં આવે છે.

મંત્રી રાજપૂતે જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં 904, કોડીનારમાં 211, વેરાવળમાં 131 તેમજ સૂત્રાપાડા તાલુકામાં 684 એમ ચાર તાલુકામાં તારીખ 31 જાન્યુઆરી 2025ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં ખેડૂતોની કુલ 1930 અરજીઓની જમીન રી સર્વે કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

Gir Somnath News

જ્યારે બાકી રહેલી અરજીઓના નિકાલ માટે ગામોના ક્લસ્ટર બનાવીને માઇક્રો પ્લાનિંગથી પૂર્ણ કરવાની કામગીરી પ્રગતિમાં છે. જે બનતી ત્વરાએ પૂર્ણ કરવામાં આવશે.

મંત્રીએ બળવંતસિંહ રાજપુતે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે, આ અરજીઓનો નિકાલ કરવા માટે ખેડૂતો પાસેથી કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X