યાત્રીગણ કૃપયા ધ્યાન દે! 11-20 જૂન સુધી ગિરનાર રોપ વે રહેશે બંધ
Girnar Ropeway: જૂનાગઢના ગિરનાર ખાતે રોપ-વે સેવા 11મી જૂનથી 20મી જૂન સુધી મેન્ટેનન્સની કામગીરીના કારણે 10 દિવસ માટે બંધ રહેશે.
પ્રવાસીઓને આ સમયગાળા દરમિયાન રોપવેની મુલાકાત ન લેવાની સલાહ આપવામાં આવે છે. ગિરનારના રોપ-વેની જાળવણીનું કામ વાર્ષિક બાબત છે.

સેવાને સ્થગિત કરવાનો નિર્ણય મુખ્યત્વે સલામતીના કારણોસર લેવામાં આવ્યો છે, ખાસ કરીને આ વિસ્તારમાં અનુભવાતી ઊંચી પવનની ઝડપને ધ્યાનમાં રાખીને, જે પ્રતિ કલાક 50-54 કિમી સુધી પહોંચી શકે છે.
આ સાવચેતીના પગલાનો હેતુ ગીરનાર રોપવેની કામગીરી દરમિયાન કોઈપણ દુર્ઘટનાને રોકવાનો છે.












Click it and Unblock the Notifications
