મોલવીએ આપી છોકરીને વશમાં કરવા આપી તાવિજ, યુવતીએ દરગાહમાં જઇ લમધાર્યો
જૂનાગઢના બામનવાસ ગામની એક દરગાહમાં દોરા, તાવિજ, અને તંત્ર-મંત્રથી ઇલાજ કરવા મૌલવીએ બે દિવસ પહેલા એક યુવકને છોકરીને વશમાં કરવા માટે તાવિજ બનાવી આપી હતી. છોકરીને આ અંગે જાણકારી મળી હતી, જે બાદ તેણે મૌલવીને લમધાર્યો હતો. વિજ્ઞાન જાથાએ દરગાહ પહોંચીને ઇલાજ અને ચમત્કારના દાવાનો પર્દાફાશ કર્યો હતો.
વિજ્ઞાન જાથાના પ્રમુખ જયંત પંડ્યાએ જણાવ્યું કે, જૂનાગઢના બામણવાસ ગામની એક દરગાહમાં વર્ષોથી એક મૌલવી દોરા, તાવિજ, તંત્ર-મંત્ર વડે ઈલાજ અને ચમત્કાર કરવાનો દાવો કરતો હતો. તેણે યુવતીને કાબૂમાં રાખવા માટે પ્રેમીને તાવિજ આપ્યું હતું. યુવતીને આ વાતની જાણ થતા તેણે મૌલવીને માર માર્યો હતો.

વિજ્ઞાન જાથાના પંડ્યા તેમની ટીમ સાથે ત્યાં પહોંચ્યા અને મૌલવીને તંત્ર-મંત્ર દ્વારા સારવાર અને ચમત્કારો માટે પડકાર ફેંક્યો, ત્યારે મૌલવી ખુલ્લો પડી ગયો હતો અને તેમણે ભવિષ્યમાં દરગાહમાં સારવાર અને ચમત્કારોનો દાવો નહીં કરવા લેખિત સોગંદનામું આપ્યું હતું.
તેણે જણાવ્યું કે, તે વર્ષોથી લોકોની સારવાર કરતો હતો અને તેમના દર્દને દૂર કરવાનો દાવો કરતો હતો, પરંતુ ભવિષ્યમાં આવું નહીં કરે.
વિજ્ઞાન જાથા ગુજરાતના સૌરાષ્ટ્રમાં ખૂબ જ સક્રિય છે, આ પહેલા તેઓ જામનગર દરગાહમાં કેન્સરની સારવાર અને રાજકોટમાં દુષ્ટ આત્માઓને દૂર કરવાના દાવાને ઉજાગર કરી ચૂક્યા છે.
હમીદા સૈયદ નામની મહિલા પણ કાળા જાદુ અને ગૂઢ વિદ્યાના દાવા કરતી હતી, જાથાની ટીમે તેનો પણ પર્દાફાશ કર્યો છે. તાજેતરમાં જ વિજ્ઞાન જાથાએ બાબા બાગેશ્વર ધામના કથાકાર ધીરેન્દ્ર શાસ્ત્રીને પણ ચમત્કાર બતાવવાનો પડકાર ફેંક્યો હતો, પરંતુ શાસ્ત્રીએ પોતે જ કોઈ પણ પ્રકારના ચમત્કારને નકારી કાઢીને વિવાદનો અંત આણ્યો હતો.












Click it and Unblock the Notifications
