છેલ્લા 24 કલાકમાં 34,973 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, પરંતુ કેરળમાં પરિસ્થિતિ વિકટ
દેશમાં કોરોનાનો ખતરો યથાવત છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા લેટેસ્ટ ડેટા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 34,973 નવા કેસ નોંધાયા છે. જ્યારે કોરોનામાંથી સાજા થયા બાદ 37,861 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
નવી દિલ્હી : દેશમાં કોરોનાનો ખતરો યથાવત છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા લેટેસ્ટ ડેટા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 34,973 નવા કેસ નોંધાયા છે. જ્યારે કોરોનામાંથી સાજા થયા બાદ 37,861 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 260 લોકોના મોત થયા છે. તાજેતરના આંકડાઓ અનુસાર દેશમાં હજૂ પણ કોરોનાના 3,90,646 એક્ટિવ કેસ છે. દેશમાં અત્યાર સુધીમાં 4,42,009 લોકો કોરોનાને કારણે મૃત્યુ પામ્યા છે. દેશમાં કોરોના રસીની વાત કરીએ તો અત્યાર સુધીમાં 72,37,84,586 ડોઝ આપવામાં આવ્યા છે.
કેરળમાં કોરોનાના સૌથી વધુ કેસ છે, જેના કારણે વહીવટી તંત્રની મુશ્કેલીઓનું નામ નથી લઈ રહી. 34973 નવા કેસમાંથી 26,200 નવા કેસ માત્ર કેરળમાંથી નોંધાયા છે. કેરળમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 114 લોકોના મોત થયા છે.
કોરોનાની ત્રીજી લહેરના ખતરાને જોતા, ઘણા રાજ્યોમાં કોરોના પર પ્રતિબંધ હજૂ પણ ચાલુ છે. એટલું જ નહીં, ઘણા રાજ્યોમાં ગણેશ ચતુર્થી ઉજવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ગણેશ ચતુર્થી નિમિત્તે દિલ્હીમાં કોઈપણ પ્રકારના કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.