દિલ્હી સરકારની અનોખી પહેલ, હવે સરકારી શાળામાં ઉજવાશે વિદ્યાર્થીઓના જન્મદિવસ
વિદ્યાર્થીઓને મોટિવેટ કરવા અને પોઝિટિવ વિચારોનો વ્યાપ વધારવા માટે દિલ્હી સરકારે એકવાર ફરીથી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્હીની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓના બર્થડે હવે હેપ્પીનેસ કરિકુમ અંતર્ગત ઉજવવામાં આવશે.
નવી દિલ્હી: વિદ્યાર્થીઓને મોટિવેટ કરવા અને પોઝિટિવ વિચારોનો વ્યાપ વધારવા માટે દિલ્હી સરકારે એકવાર ફરીથી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્હીની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓના બર્થડે હવે હેપ્પીનેસ કરિકુમ અંતર્ગત ઉજવવામાં આવશે. શિક્ષા નિર્દેશાલયને દિલ્હીના સરકારી શાળામાં વિદ્યાર્થીના જન્મદિવસ ઉજવવા સંબંધિત સર્ક્યુલર જાહેર કર્યું છે.
આ પરિપત્રમાં લખવામાં આવ્યું છે કે, શાળાઓમાં કૃતજ્ઞતા, પ્રેરણા અને સકારાત્મક વિચારસરણીને પ્રોત્સાહન આપવા માટે, દિલ્હીની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના જન્મદિવસની ઉજવણીની નવી પેટર્નને અનુસરવા માટે દોરવામાં આવી શકે છે. યુનેસ્કોના મૂળભૂત સિદ્ધાંતો પર આધારિત હેપ્પીનેસ દ્વારા અભ્યાસક્રમ, શિક્ષકોને શિક્ષણના મૂળભૂત પાસાઓ માટે માર્ગદર્શન આપવામાં આવે છે. આ સાથે શીખવાની પ્રક્રિયાને ફરીથી આકાર આપે છે.
વિદ્યાર્થીઓના જન્મદિવસની થશે ઉજવણી
ડિરેક્ટોરેટ ઓફ એજ્યુકેશન દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્ર મુજબ, હેપ્પીનેસ અભ્યાસક્રમ હેઠળ દિલ્હીની સરકારી શાળાઓના વિદ્યાર્થીઓના જન્મદિવસની ઉજવણી કરવા માટે નવી મોડસ ઓપરેન્ડિનું પાલન કરવામાં આવશે. ધોરણ 1 અથવા તેનાથી નાના વર્ગથી લઈને 8 માં ધોરણ સુધીના વિદ્યાર્થીઓના જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે.
જે વિદ્યાર્થીઓનો જન્મદિવસ રવિવાર અથવા રજાના દિવસે આવે છે, તેમનો જન્મદિવસ સોમવાર અથવા શાળા ખુલવાના પ્રથમ દિવસે ઉજવવામાં આવશે. ડિરેક્ટોરેટ ઓફ એજ્યુકેશન દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્ર મુજબ દિલ્હી સરકારનું માનવું છે કે, આનાથી બાળકો પ્રત્યે કૃતજ્ઞતા વધશે અને તેઓ આગળ કંઈક કરવા માટે પ્રેરિત થશે. આ ઉપરાંત આ પહેલથી વિદ્યાર્થીઓની સકારાત્મક વિચારસરણીમાં વધારો થશે.
ડિરેક્ટોરેટ ઓફ એજ્યુકેશન દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર મુજબ, રજા દરમિયાન જે વિદ્યાર્થીઓનો જન્મદિવસ હશે તેમના જન્મદિવસની ઉજવણી શાળા ખુલ્યાના પ્રથમ દિવસે સામૂહિક રીતે કરવામાં આવશે.
અત્રે નોંધનીય છે કે, વિદ્યાર્થીઓમાં ખુશી અને સુખાકારીનો પાયો મજબૂત કરવા માટે હેપ્પીનેસ અભ્યાસક્રમ 2018માં શરૂ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, દિલ્હીની 1,030 સરકારી શાળાઓમાં, ધોરણ 8 સુધીના બાળકો માટે 35 મિનિટના વર્ગો યોજવામાં આવે છે. આ અભ્યાસક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં સ્વ-જાગૃતિ, અભિવ્યક્તિ, સહાનુભૂતિ, સંબંધોની સમજ વિકસાવવાનો છે.