એસિડને હવે ઝેરની શ્રેણીમાં રાખવામાં આવશે: કેન્દ્ર
અત્રે ઉલ્લેખનીય છે કે એસિડ એટેકને લઇને સુપ્રીમ કોર્ટ દ્વારા સરકારને આપવામાં આવેલી ડેડલાઇન મંગળવારે પૂરી થઇ ગઇ છે. આ પહેલાં કોર્ટે કેન્દ્ર સરકારને આકરી ફટકાર લગાવતાં એક અઠવાડિયામાં જવાબ માંગ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યાં છે અને સરકાર ગંભીર નથી. જો એક અઠવાડિયાની અંદર આ મુદ્દે કોઇ નીતિ બનાવવામાં નથી આવતી તો કોર્ટ સ્વયં આ અંગે આદેશ પારિત કરશે.
ન્યાયમૂર્તિ આરએમ લોઢાની અધ્યક્ષતાવાળી ખંડપીઠે સરકારના વલણ પર નારાજગી વ્યક્ત કરતાં 9 જુલાઇના રોજ કહ્યું હતું જે એસિડ એટેકથી લોકો રોજ મોતને ભેટી રહ્યાં છે, પરંતુ કોર્ટે 16 એપ્રિલના રોજ આશ્વાસન આપ્યું હોવાછતાં કેન્દ્ર આ અંગે નીતિ તૈયાર કરવામાં નિષ્ફળ રહી છે. જજોએ રાજ્ય સરકારો સાથે પરામર્શ કરતાં નીતિ તૈયાર કરવા માટે કેન્દ્ર સરકારને એક અઠવાડિયાનો સમય આપતાં કહ્યું હતું કે આ મુદ્દા પ્રત્યે સરકારની ગંભીરતા નજર જોવા મળતી નથી. લોકો મોતને ભેટી રહ્યાં છે પરંતુ તમને આ અંગે ચિંતા નથી. તે લોકો વિશે વિચારો જે દરરોજ જીંદગી ગુમાવી રહ્યાં છે. દેશના વિભિન્ન ભાગોમાં દરરોજ છોકરીઓ પર હુમલા થઇ રહ્યાં છે.
જો કે કોર્ટે એપ્રિલમાં આદેશ પારિત કર્યો હતો પરંતુ સરકાર તેમછતાં બજારમાં એસિડના વેચારણ પર નિયંત્રણ કરવાની નીતિ તૈયાર કરવામાં નિષ્ફળ રહી છે. જજે કહ્યું હતું કે જો 16 જુલાઇ સુધી સરકાર આ વિશે કોઇ નીતિ તૈયાર કરવામાં નિષ્ફળ રહે છે તો પછી તે યોગ્ય આદેશ પારિત કરશે.