બીજેપીએ 15 વર્ષમાં દિલ્હીને કચરાનો ઢગલો બનાવી દીધી છે-મનીષ સિસોદિયા
દિલ્હી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી અને બીજેપી સામસામે છે. આવતીકાલે દિલ્હીમાં મતદાન યોજાવા જઈ રહ્યું છે ત્યારે આમ આદમી પાર્ટી અને બીજેપીના નેતાઓ એકબીજા પર પ્રહારો કરી રહ્યા છે.
નવી દિલ્હી : દિલ્હી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી અને બીજેપી સામસામે છે. આવતીકાલે દિલ્હીમાં મતદાન યોજાવા જઈ રહ્યું છે ત્યારે આમ આદમી પાર્ટી અને બીજેપીના નેતાઓ એકબીજા પર પ્રહારો કરી રહ્યા છે. હાલમાં જ આમ આદમી પાર્ટીના નેતા અને મનીષ સિસોદિયાએ બીજેપી પર પ્રહારો કર્યા હતા.

મનીષ સિસોદિયાએ કહ્યું કે, એમસીડીમાં લોકો આમ આદમી પાર્ટીને ચૂંટશે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે 4 ડિસેમ્બરે મતદાન યોજાશે. દિલ્હીમાં જ્યારે મતગણતરી 7 ડિસેમ્બરે થશે.
મનીષ સિસોદિયાએ કહ્યું કે, MCDમાં ભાજપ 15 વર્ષ સુધી સત્તામાં રહ્યું અને દિલ્હીને કચરાના ઢગલા અને રખડતા ઢોરની રાજધાની બનાવી દીધી. દિલ્હીને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે આ વખતે લોકો MCD માટે અરવિંદ કેજરીવાલને પસંદ કરશે. અહીં તમને જણાવી દઈએ કે, આમ આદમી પાર્ટી સતત કચરાને લઈને સતત બીજેપી પર પ્રહાર કરી રહી છે.
દિલ્હી મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને બીજેપી વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. આવતીકાલે દિલ્હીમાં મતદાન યોજાશે અને 7 ડિસેમ્બરે મતદાન યોજાશે.












Click it and Unblock the Notifications
