Delhi MCD Election : દિલ્હી એમસીડી માટે ભાજપે શરૂ કર્યો પ્રચાર, આજે નડ્ડા અને રાજનાથ કરશે રોડ શો
Delhi MCD Election : દિલ્હી એમડીસી ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવા તેમજ પરત ખેંચવાની પ્રક્રિયા 19 નવેમ્બરના રોજ પૂર્ણ થઇ ગઇ છે. જે બાદ હવે ચૂંટણી મેદાનમાં 1349 ઉમેદવારો રહ્યા છે.
Delhi MCD Election : દિલ્હી એમડીસી ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવા તેમજ પરત ખેંચવાની પ્રક્રિયા 19 નવેમ્બરના રોજ પૂર્ણ થઇ ગઇ છે. જે બાદ હવે ચૂંટણી મેદાનમાં 1349 ઉમેદવારો રહ્યા છે. ઉમેદવારી પરત ખેંચવા તેમજ ચૂંટણી માટે ચિહ્ન આપવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. જે બાદ હવે રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પ્રચાર 02 ડિસેમ્બરના રોજ સાંજે 5 કલાક સુધી કરી શકાશે.
ભારતીય જનતા પાર્ટી (BJP) એ દિલ્હી એમડીસી ચૂંટણીમાં પુનરાગમન કરવાનો પ્રયાસ કરી રહેલા નેતાઓની મોટી ટીમને મેદાનમાં ઉતારી છે. ભાજપના આ નેતા રવિવારના રોજ (20 નવેમ્બર) સમગ્ર દિલ્હીમાં 14 રોડ શો કરશે. આ રોડ શોને 'વિજય સંકલ્પ રોડ શો' નામ આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય જનતા પાર્ટીના 14 દિગ્ગજ નેતાઓ આ રોડ શોનું નેતૃત્વ કરશે.
વિજય સંકલ્પ રોડ શો નું નેતૃત્વ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા કરશે. આ સાથે કેન્દ્રીય સંરરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુર, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી, હરિયાણાના મુખ્યમંત્રી એમએલ ખટ્ટર, કેન્દ્રીય રાજ્ય મંત્રી જીતેન્દ્ર સિંહ, રાજ્યમંત્રી મીનાક્ષી લેખી ઉપરાંત હરદીપ સિંહ પુરી અને ગજેન્દ્ર સિંહ શેખાવત પણ ભાજપના આ રોડ શોમાં શામેલ થશે.
ઉલ્લેખનીય છે કે, ભારતીય જનતા પાર્ટીના સાંસદ રમેશ બિધુરી, ગૌતમ ગંભીર, મનોજ તિવારી, દિનેશ લાલ યાદવ નિરહુઆ અને પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા પણ રવિવારના રોજ સાંજે શરૂ થનારા વિજય સંકલ્પ રોડ શો માં ભાગ લેશે.