Chandrayaan 3 : સફળ પ્રક્ષેપણ બાદ PM મોદીએ કર્યું ટ્વિટ, કહી આ મહત્વની વાત

Chandrayaan 3: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચંદ્રયાન 3ના સફળ પ્રક્ષેપણ બાદ દેશના વૈજ્ઞાનિકોની પ્રસંશા કરી હતી. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, ભારતની અંતરિક્ષ યાત્રામાં એક નવો અધ્યાય લખાયો છે. આ મહત્વપૂર્ણ ઉપલ્બ્ધી આપણા વૈજ્ઞાનિકોના અથાગ સમર્પણનું પ્રમાણ છે.

Chandrayaan 3

PM મોદીએ ઈસરોની સફળતા પર ટ્વીટ કર્યું અને જણાવ્યું હતું કે, ચંદ્રયાન-3 એ અવકાશ યાત્રામાં એક નવો અધ્યાય લખ્યો છે. તે દરેક ભારતીયના સપના અને મહત્વકાંક્ષાઓની ઉડાન છે. આ નોંધપાત્ર સિદ્ધિ આપણા વૈજ્ઞાનિકોના અથાગ સમર્પણની સાક્ષી છે. હું તેમની ભાવના અને પ્રતિભાને સલામ કરું છું.

ઉલ્લેખનીય છે કે, ઈસરોએ ચંદ્ર પર તેનું ત્રીજું મિશન ચંદ્રયાન-3 લોન્ચ કર્યું છે. ચંદ્રયાન-3 આજે બપોરે 2.35 કલાકે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું છે. ચંદ્રયાન-3 આજથી બરાબર 41 દિવસ બાદ 24 થી 25 ઓગસ્ટની વચ્ચે ચંદ્રની સપાટી પર ઉતરશે, પહેલા પૃથ્વીની ભ્રમણકક્ષામાં અને બાદ ચંદ્રની ભ્રમણકક્ષામાં પરિભ્રમણ કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X