શાદીપુરમાં એક ફેક્ટરીમાં આગ, 6ના મોત 10 દાઝ્યા
નવી દિલ્હી, 3 નવેમ્બર: દિલ્હી માટે દિવાળી ફરી એકવાર ડરામણાના અંદાજમાં આવી છે. નાની દિવાળીના દિવસે સાંજે દિલ્હીના શાદીપુરમાં લેધર પર્સ બનાવનાર ફેક્ટરમાં આગ લાગી છે, જેમાં 15 લોકો ખરાબ રીતે દાઝી ગયાં, જ્યારે 6 લોકોના દર્દનાક મોત નિપજ્યાં છે. શનિવારે સાંજે લગભગ છ વાગે એક ફેક્ટરીના પહેલા માળ પર અચાનક આગ લાગી ગઇ હતી. જે સમયે ફેક્ટરીમાં આગ લાગી, તે સમયે ત્યાં 21 લોકો કામ કરી રહ્યાં હતા. તાત્કાલિક ફાયર બ્રિગેડને માહિતી આપી દિધી. ફાયર બ્રિગેડના અધિકારીના અનુસાર ફાયર બ્રિગેડની 7 ગાડી પહોંચી અને લગભગ દોઢ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો.
ફેક્ટરીમાં ઝડપથી આગ ફેલાઇ ગઇ હતી અને લોકોને કાઢવામાં ઘણી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. ભારે મહેનત બાદ 21 લોકોને ફાયરબ્રિગેડે ફેક્ટરીથી બહાર નિકાળ્યા અને રામમનોહર લોહિયા (RML) હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. 15 લોકો ગંભીર હાલતમાં ઘાયલ છે અને સારવાર દરમિયાન 6 લોકોના મોત નિપજ્યાં છે, જેમાં 4 મહિલાઓનો સમાવેશ છે, કહેવામાં આવે છે કે આમાં મોટાભાગના લોકોનું મોત શ્વાસ રુંધાવાથી થયું છે.
શાદીપુરના ન્યૂ પટેલ નગરની આ ફેક્ટરીમાં અંદાજે 150 લોકો કામ કરે છે પરંતુ હવે આ ફેક્ટરીને કોંડલીમાં શિફ્ટ કરી દેવામાં આવી હતી અને સંપૂર્ણ રીતે શિફ્ટ ન થવાના કારણે તેમાં શનિવારે લગભગ 21 લોકો કામ કરી રહ્યાં હતા, જેમાં 6 લોકોના મોત નિપજ્યાં છે. જો કે પોલીસે આગ લાગવાના કારણોની તપાસ કરવામાં લાગી ગઇ છે, પરંતુ રહેણાંક વિસ્તારમાં આ ફેક્ટરીને એનઓસી પણ મળી ન હતી જે વહિવટીતંત્રની કાર્યપ્રણાલી પર આંગળી ચિંધે છે.