Delhi dog case : દિલ્હી કુતરા વિવાદ વચ્ચે સુપ્રીમ કોર્ટનો મહત્વનો આદેશ

Delhi dog case : સુપ્રીમ કોર્ટે દિલ્હી-એનસીઆરમાંથી રખડતા શ્વાનોને હટાવવાના અગાઉના આદેશમાં ફેરફાર કર્યો છે. હવે નસબંધી અને રસીકરણ બાદ આવા શ્વાનોને તે જ વિસ્તારમાં પાછા છોડી શકાશે.

જો કે, આ નિયમ ફક્ત તે શ્વાનો પર લાગુ થશે નહીં જે રેબીઝથી સંક્રમિત હોય કે જેમનો સ્વભાવ આક્રમક હોય. આ ઉપરાંત કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે શ્વાનોને જાહેરમાં ખવડાવવાની પરવાનગી આપવામાં આવશે નહીં. તેના બદલે આવા શ્વાનો માટે અલગથી ભોજન સ્થાન બનાવવામાં આવશે.

Delhi dog case

અગાઉ 11 ઓગસ્ટે, સુપ્રીમ કોર્ટે દિલ્હી-એનસીઆરના અધિકારીઓને આદેશ આપ્યો હતો કે તમામ રખડતા શ્વાનોને રસ્તાઓ પરથી હટાવીને આશ્રયસ્થાનોમાં મોકલી દેવામાં આવે.

આ આદેશ બાદ દિલ્હીમાં વ્યાપક વિરોધ પ્રદર્શનો થયા હતા. પશુપ્રેમીઓ અને કાર્યકર્તાઓએ આદેશનો વિરોધ કરીને નસબંધી અને રસીકરણ જેવા માનવીય ઉપાયો અપનાવવાની માંગ કરી હતી.

સુપ્રીમ કોર્ટની ત્રણ સભ્યોની વિશેષ બેન્ચે આ મુદ્દા પર સુનાવણી કરીને પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે રખડતા શ્વાનોની આ સમગ્ર સમસ્યા સ્થાનિક અધિકારીઓની નિષ્ક્રિયતાનું પરિણામ છે, જેમણે શ્વાનોની નસબંધી અને રસીકરણ માટેના નિયમોનું યોગ્ય પાલન કર્યું નથી.

આ નવા આદેશથી પશુપ્રેમીઓને મોટી રાહત મળી છે અને તે શ્વાનો માટે માનવીય અભિગમ અપનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X