કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કરશે નક્સલવાદથી પ્રભાવિત 10 રાજ્યોના CM સાથે ઉચ્ચ સ્તરીય બેઠક
ગૃહમંત્રી અમિત શાહ નક્સલી પ્રભાવિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક કરશે. અમિત શાહ આજે 10 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે આ બેઠક કરશે અને રાજ્યોની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરશે.
નવી દિલ્હી : ગૃહમંત્રી અમિત શાહ નક્સલી પ્રભાવિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક કરશે. અમિત શાહ આજે 10 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે આ બેઠક કરશે અને રાજ્યોની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરશે. અમિત શાહ બેઠકમાં આ રાજ્યોના વધુ વિકાસના મુદ્દે પણ ચર્ચા કરશે. આ બેઠક વિજ્ઞાન ભવનમાં યોજાશે, જેમાં તમામ 10 નક્સલ પ્રભાવિત રાજ્યોના મુખ્યમંત્રીઓ ભાગ લેશે.
છત્તીસગઢ, ઝારખંડ, બિહાર, ઓડિશા, ઉત્તર પ્રદેશ, કેરળ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રીઓ અથવા તેમના પ્રતિનિધિઓ બેઠકમાં ભાગ લેશે અને તેમના રાજ્યની વર્તમાન પરિસ્થિતિ વિશે માહિતી આપશે. આ સાથે રાજ્યના વિકાસ કાર્યોની માહિતીનું આદાનપ્રદાન કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર નક્સલ પ્રભાવિત રાજ્યોમાં કામગીરીને વધુ તીવ્ર બનાવવાની યોજના બનાવી રહી છે. કેન્દ્ર સરકાર છત્તીસગઢમાં આ કામગીરીને ઝડપી બનાવવાની યોજના બનાવી રહી છે, જ્યાં છેલ્લા કેટલાક વર્ષોમાં નક્સલવાદીઓએ ઘણા હુમલા કર્યા છે.
છત્તીસગઢમાં નક્સલવાદીઓએ સુરક્ષા કર્મચારીઓ પર અનેક વખત હુમલા કર્યા છે, જેમાં ઘણા સેના જવાનોએ જીવ ગુમાવ્યા છે. સૂત્રના જણાવ્યા અનુસાર આ બેઠકનો મુખ્ય મુદ્દો નક્સલ પ્રભાવિત રાજ્યોમાં પરિસ્થિતિ પર ચર્ચા છે. આ રાજ્યોની સમસ્યા શું છે? અને આ રાજ્યોના વિકાસના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર પહેલેથી જ દિલ્હી પહોંચી ગયા છે. તેઓ શનિવારની સાંજે દિલ્હી પહોંચ્યા હતા. આ બેઠકમાં અમિત શાહ આ 10 રાજ્યોમાં પરિસ્થિતિ
અંગે ચર્ચા કરશે અને આ રાજ્યોમાં ચાલી રહેલી કામગીરીની સ્થિતિની સમીક્ષા કરશે. નોંધનીય છે કે, દેશના લગભગ 90 જિલ્લા નક્સલવાદથી પ્રભાવિત છે. વર્ષ 2019 માં 61 જિલ્લાઓમાં નક્સલી હિંસા નોંધાઈ હતી, જ્યારે વર્ષ 2020માં 45 ઘટનાઓ નોંધાઈ હતી. માહિતી અનુસાર 2015 થી 2020 વચ્ચે અલગ નક્સલી હિંસામાં 380 સુરક્ષા કર્મચારીઓ અને 1000 નાગરિકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આવા સમયે 900 નક્સલીઓ માર્યા ગયા છે, જ્યારે 4200 નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે.