JDUને મોદી મંજૂર નહી, PM પદ પર આજે ચર્ચા થશે
શનિવારે દિવસભર પર રાજકીય નિવેદનબાજી બાદ સાંજ થતાં જ નિતિશ કુમારે પહેલાં ભાજપ નેતા અરૂણ જેટલી અને પછી મોડી રાત્રે ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી હતી. અરૂણ જેટલી અને નિતિશ કુમારની મુલાકાત લગભગ અડધો કલાક ચાલી હતી. નિકળ્ય બાદ જ્યારે પત્રકારોએ નિતિશ કુમાર સાથે મુલાકાત અંગે પૂછ્યું તો જવાબ આપ્યો હતો કે વાતચીત પર પાબંધી લાગેલી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર રાજનાથ સિંહ અને નિતિશ કુમાર વચ્ચે ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી. રાજનાથે સિંહે નિતિશ કુમાર વાત સાંભળી અને તેમને વિશ્વાસ અપાવ્યો કે આ મુદ્દાઓ પર પાર્ટીમાં ચર્ચા કરશે. સૂત્રોનું કહેવું છે કે નિતિશ કુમારે રાજનાથ સિંહને કહ્યું હતું કે જો નરેન્દ્ર મોદી પીએમ પદના ઉમેદવાર તરીકે રજૂ કરવામાં આવશે તો વોટોનું ધ્રુવીકરણ થઇ શકે છે અને આવું થતાં અલ્પસંખ્યકોના વોટ જેડીયૂથી દૂર થઇ શકે છે. આ પહેલાં જેડીયૂએ નરેન્દ્ર મોદીની સૌથી નબળી નસ પર હાથ રાખતાં કહ્યું હતું કે 2002ના ગુજરાતના રમખાણો દરમિયાન નરેન્દ્ર મોદીએ જવાબદારી નિભાવી છે.
હાલના દિવસોમાં નરેન્દ્ર મોદી દિલ્હીના રાજકારણ તરફ આવ્યાં છે. સતત ત્રીજી વાર મુખ્યમંત્રી બન્યા બાદ પાર્ટીમાં તે પીએમ પદના સ્વાભાવિક ઉમેદવાર તરીકે જોવામાં આવે છે. પાર્ટીના સંસદીય બોર્ડમાં જગ્યા મેળવાર એકમાત્ર ઉમેદવાર છે. ગુજરાતના વિકાસના મોડલનું ગુણગાન દેશભરમાં કરી રહ્યાં છે. પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહ પણ સતત નરેન્દ્ર મોદીને લોકપ્રિય નેતા બતાવી રહ્યાં છે. આ માહોલ નિશ્વિત તરીકે જેડીયૂને ખૂંચી રહ્યો છે. ભલે તે 16 વર્ષથી ભાજપ સાથે હોય, પરંતુ પોતાની ધર્મનિરપેક્ષ છબિ અને વોટબેંક પર કોઇ આંચ આવવા દેવા માંગતો નથી.