વીજળી-પાણી માટે અરવિંદ કેજરીવાલના અનશન શરૂ

શહીદ ભગતસિંહની શહાદત દિવસના અવસરે પૂર્વ દિલ્હીના સુંદરનગરમાં કેજરીવાલે પોતાના ઉપવાસ શરૂ કર્યા. આ અવસરે તેમણે જણાવ્યું કે વીજળી કંપનીઓએ દિલ્હી સરકારની મીલીભગતથી રાજધાનીમાં વીજળીના ભાવ વધારી દીધા છે. જ્યારે દિલ્હીમાં વીજળીના ભાવ પચાસ ટકા ઓછા હોવા જોઇએ.
કેજરીવાલે તો લોકોને ત્યાં સુધી કહી દીધું કે જો તેમણે વીજળીનું બીલ નહીં ભરે અને તેમનું કનેક્શન કપાઇ જશે અને તેમની પર પોલીસ કેસ થશે તો તેમની સરકાર આવશે ત્યારે તે આ કેસ પાછો લેવડાવી દેશે. પોતાના ઉપવાસ શરૂ થયાના પહેલા દિવસે કેજરીવાલે વ્હાર્ટન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પણ સંબોધ્યા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના પ્રસંશક નથી. પરંતુ જે રીતે વ્હાર્ટને પહેલા મોદીને સંબોધીત કરવા માટે આમંત્રણ આપ્યું અને બાદમાં ઇનકાર કરી દીધો તે મને એક ભારતીય તરીકે ખરાબ લાગ્યું.
દિલ્હીના ચૂંટણી અખાડામાં ઉતરવાની જાહેરાત કરી ચૂકેલા અરવિંદને પણ ખબર છે કે આગળની રાહ ખુબ જ મુશ્કેલ છે, શાયદ આ કારણે તેમણે વીજળી-પાણીનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમને ખ્યાલ છે કે આ એક એવો મુદ્દો છે જેના થકી તેઓ દિલ્હીના સામાન્યલોકો સુધી પહોંચી શકશે. પરંતુ મોટો સવાલ એ છે કે શું આ મુદ્દો તેમને રાજનીતિમાં આગળ લઇ શકશે.












Click it and Unblock the Notifications
