કેજરીવાલનો ચોથો શિકાર કોણ? આજે કરશે વધુ એક ખુલાસો

અરવિંદ કેજરીવાલ આ પહેલાં તેમને ત્રણવાર પત્રકાર પરિષદ યોજી હતી અને ત્રણેય લોકોને ઉધાડાં પાડ્યાં હતા જેમાં યૂપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઇ રોબર્ટ વાઢેરા, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન ગડકરી અને ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનો સમાવેશ થાય છે. ત્રણેય લોકોને અરવિંદ કેજરીવાલના મુદ્દે સ્પષ્ટતા રજૂ કરવી પડી હતી. એટલા માટે આજની પત્રકાર પરિષદ પર બધાની નજર મંડાયેલી છે.
અરવિંદ કેજરીવાલ તરફથી આ મુદ્દે કોઇ સંકેત આપવામાં આવ્યાં નથી પરંતુ તેમછતાં તેમની ટીમનો સળવળાટ કહી રહ્યો છે કે આજનું નામ પણ દેશની કોઇ મોટી હસ્તી હશે. રોબર્ટ વાઢેરાના મુદ્દે હરિયાણા સરકાર તરફથી ક્લીન ચીટ મળી ગઇ છે તો બીજી તરફ ગડકરીના મુદ્દે ભાજપે પણ કેજરીવાલને ઠપકો આપ્યો છે અને મુકેશ અંબાણીએ પણ અરવિંદ કેજરીવાલના આરોપોને બકવાસ અને પાયાવિહોણા ગણાવ્યાં છે.
તેમછતાં અરવિંદ કેજરીવાલ ખુલાસા પર ખુલાસા કરી રહ્યાં છે જે તેમની રાજનિતી અને દેશને કઇ તરફ લઇ જાય છે તે તો આવનાર સમય જ બતાવશે. હાલમાં તો બધા દોઢ વાગ્યાની રાહ જોઇ રહ્યાં છે જ્યારે કેજરીવાલ પત્રકાર પરિષદ યોજશે.












Click it and Unblock the Notifications
