Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કેજરીવાલનો ચોથો શિકાર કોણ? આજે કરશે વધુ એક ખુલાસો

arvind-kejriwal
નવી દિલ્હી, 9 નવેમ્બર: ઇન્ડિયા અગેન્ટ કરપ્શનના કાર્યકર્તા અરવિંદ કેજરીવાલ આજે વધુ એક નવો ખુલાસો કરી શકે છે. મળતી માહિતી મુજબ આજે તે 1.30 વાગ્યાની આસપાસ દિલ્હીના પ્રેસ ક્લબમાં એક મોટો ખુલાસો કરવાના છે. માટે તેમને આજે પત્રકાર પરિષદ બોલાવી છે.

અરવિંદ કેજરીવાલ આ પહેલાં તેમને ત્રણવાર પત્રકાર પરિષદ યોજી હતી અને ત્રણેય લોકોને ઉધાડાં પાડ્યાં હતા જેમાં યૂપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઇ રોબર્ટ વાઢેરા, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન ગડકરી અને ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનો સમાવેશ થાય છે. ત્રણેય લોકોને અરવિંદ કેજરીવાલના મુદ્દે સ્પષ્ટતા રજૂ કરવી પડી હતી. એટલા માટે આજની પત્રકાર પરિષદ પર બધાની નજર મંડાયેલી છે.

અરવિંદ કેજરીવાલ તરફથી આ મુદ્દે કોઇ સંકેત આપવામાં આવ્યાં નથી પરંતુ તેમછતાં તેમની ટીમનો સળવળાટ કહી રહ્યો છે કે આજનું નામ પણ દેશની કોઇ મોટી હસ્તી હશે. રોબર્ટ વાઢેરાના મુદ્દે હરિયાણા સરકાર તરફથી ક્લીન ચીટ મળી ગઇ છે તો બીજી તરફ ગડકરીના મુદ્દે ભાજપે પણ કેજરીવાલને ઠપકો આપ્યો છે અને મુકેશ અંબાણીએ પણ અરવિંદ કેજરીવાલના આરોપોને બકવાસ અને પાયાવિહોણા ગણાવ્યાં છે.

તેમછતાં અરવિંદ કેજરીવાલ ખુલાસા પર ખુલાસા કરી રહ્યાં છે જે તેમની રાજનિતી અને દેશને કઇ તરફ લઇ જાય છે તે તો આવનાર સમય જ બતાવશે. હાલમાં તો બધા દોઢ વાગ્યાની રાહ જોઇ રહ્યાં છે જ્યારે કેજરીવાલ પત્રકાર પરિષદ યોજશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X