યુપીમાં 42 થી 50 તો બિહારમાં 20 થી 24 સીટો પર નમોની લહેર
નવી દિલ્હી, 11 એપ્રિલ: હિન્દી બેલ્ટ યુપી અને બિહારમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લડી રહેલા લોકસભા ચૂંટણીમાં ભાજપની જોરદાર જીત થશે. અનુમાન છે કે આ બંને રાજ્યોની 120 લોકસભા સીટોમાંથી લગભગ 74 સીટો ભાજપના ખાતામાં આવશે.
India today group-Cicero દ્વારા કરાવવામાં આવેલા સર્વેમાં આ વાત સામે આવી છે. સર્વેમાં સ્પષ્ટ છે કે આ રાજ્યોમાં નરેન્દ્ર મોદીની હવા ચાલી રહી છે. સર્વે અનુસાર ભાજપને આ ચૂંટણીમાં યુપીની 80 સીટોમાંથી 42 થી 50 સીટો મળશે તો બીજી તરફ કોંગ્રેસને ફક્ત 6 થી 10 સીટોમાં જ સંતોષ માનવો પડી શકે છે. બહુજન સમાજ પાર્ટીને 9 થી 13 સીટો મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે તો બીજી તરફ સમાજવાદી પાર્ટીના ખાતામાં 15 થી 21 સીટો આવી શકે છે.
પોલ અનુસાર યુપીમાં આ વખતે સૌથી વધુ કોંગ્રેસ અને બીએસપીને નુકસાન વેઠવું પડશે. ગત ચૂંટણીમાં કોંગ્રેસને જ્યાં 27 સીટો મળી હતી બીજી તરફ માયાવતીની પાર્ટી બસપાને 19 સીટો મળી હતી. સૌથી વધુ ભાજપનું પલડું ભારે દેખાઇ રહ્યું છે. ભાજપના ખાતામાં ગત વખતે 10 સીટો હતી, જ્યારે આ વખતે તેની જોળીમાં 42થી 50 સીટો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
સર્વેમાં બીજા હિન્દી બેલ્ટ બિહારમાં ભાજપને 20 થી 24 સીટો મળવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે જ્યારે કોંગ્રેસને 15 થી 19 સીટો મળવાની વાત કહેવામાં આવે છે. જેડીયૂ જેને 2009ની લોકસભાની ચૂંટણીમાં લગભગ 20 સીટો પોતાના કબજામાં કરી હતી, તેને આ વખતની ચૂંટણીમાં ફક્ત 0 થી 2 સીટોમાં જ સંતોષ માનવો પડશે.
ગત લોકસભા ચૂંટણીની અપેક્ષાએ બિહારમાં કોંગ્રેસની સીટોમાં આ વખતે વધારો થઇ શકે છે. ગત વખતે ચૂંટણીમાં કોંગ્રેસને અહીં ફક્ત 6 સીટો પર જીત નોંધાવી હતી જ્યારે ભાજપને 12 સીટો જ મળી હતી. અન્ય પક્ષોના ખાતામાં 0 થી 1 સીટ આવી શકે છે જ્યારે 2009માં તેમના ખાતામાં 2 સીટો આવી હતી. બિહારમાં રામ વિલાસ પાસવાનની પાર્ટી લોક જનશક્તિ પાર્ટી (લોજપા)ની સાથે ગઠબંધન કરીને ભાજપ દલિત વોટમાં પણ સેંઘ લગાવશે.

યુપીમાં ભાજપનો ભગવો
સર્વે અનુસાર ભાજપને આ ચૂંટણીમાં યુપીની 80 સીટોમાંથી 42 થી 50 સીટો મળશે.

યુપીમાં કોંગ્રેસની કંગાળ સ્થિતિ
લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ફક્ત 6 થી 10 સીટોમાં જ સંતોષ માનવો પડી શકે છે.

બસપા
બહુજન સમાજ પાર્ટીને 9 થી 13 સીટો મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે

સપાને માનવો પડશે સંતોષ
લોકસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીના ખાતામાં 15 થી 21 સીટો આવી શકે છે.

કોંગ્રેસ અને બસપાને નુકસાન
પોલ અનુસાર યુપીમાં આ વખતે સૌથી વધુ કોંગ્રેસ અને બસપાને નુકસાન વેઠવું પડશે. ગત ચૂંટણીમાં કોંગ્રેસને જ્યાં 27 સીટો મળી હતી બીજી તરફ માયાવતીની પાર્ટી બસપાને 19 સીટો મળી હતી. સૌથી વધુ ભાજપનું પલડું ભારે દેખાઇ રહ્યું છે. ભાજપના ખાતામાં ગત વખતે 10 સીટો હતી, જ્યારે આ વખતે તેની જોળીમાં 42થી 50 સીટો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

બિહારમાં બીજેપીની બોલબાલા
સર્વેમાં બીજા હિન્દી બેલ્ટ બિહારમાં ભાજપને 20 થી 24 સીટો મળવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.

કોંગ્રેસની કરૂણસ્થિતી
સર્વે અનુસાર કોંગ્રેસને 15 થી 19 સીટો મળવાની વાત કહેવામાં આવે છે.

જેડીયૂ
જેડીયૂ જેને 2009ની લોકસભાની ચૂંટણીમાં લગભગ 20 સીટો પોતાના કબજામાં કરી હતી, તેને આ વખતની ચૂંટણીમાં ફક્ત 0 થી 2 સીટોમાં જ સંતોષ માનવો પડશે.

બિહારમાં 'રામ'નો સાથ
ગત લોકસભા ચૂંટણીની અપેક્ષાએ બિહારમાં કોંગ્રેસની સીટોમાં આ વખતે વધારો થઇ શકે છે. ગત વખતે ચૂંટણીમાં કોંગ્રેસને અહીં ફક્ત 6 સીટો પર જીત નોંધાવી હતી જ્યારે ભાજપને 12 સીટો જ મળી હતી. અન્ય પક્ષોના ખાતામાં 0 થી 1 સીટ આવી શકે છે જ્યારે 2009માં તેમના ખાતામાં 2 સીટો આવી હતી. બિહારમાં રામ વિલાસ પાસવાનની પાર્ટી લોક જનશક્તિ પાર્ટી (લોજપા)ની સાથે ગઠબંધન કરીને ભાજપ દલિત વોટમાં પણ સેંઘ લગાવશે.












Click it and Unblock the Notifications
