નરેન્દ્ર મોદી વડાપ્રધાનના પદ માટે યોગ્ય વ્યક્તિ: વસુંધરા રાજે
તેમને પુછવામાં આવ્યું હતું કે પાર્ટી નરેન્દ્ર મોદીને કેમ પ્રાથમિકતા આપી રહી છે અને આ ઉચ્ચ પદ માટે પોતાને અથવા અન્ય કોઇ મહિલાને પ્રાથમિકતા કેમ આપવામાં આવતી નથી. તેના જવાબમાં વસુંધરા રાજેએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદી 15 વર્ષથી મુખ્યમંત્રી છે જ્યારે તે ફક્ત પાંચ વર્ષ જ મુખ્યમંત્રી તરીકે રહ્યાં છે. વસુંધરા રાજેએ કહ્યું હતું કે રાજસ્થાનમાં તેમની યાત્રા દરમિયાન જ્યારે ભાષણમાં નરેન્દ્ર મોદીના નામનો ઉલ્લેખ આવતો હતો તો લોકો નારેબાજી લગાવવાનું શરૂ કરી દેતાં હતા. તે કંઇક સારું કરી રહ્યાં છે જેના કારણે દરેક જગ્યાએ લોકો તેમની પ્રસંશા કરી રહ્યાં છે. તેમને કહ્યું હતું કે નરેન્દ્ર મોદી ખૂબ જ લોકપ્રિય છે.
રાજસ્થાનમાં પોતાના માટે પ્રચાર કરવા માટે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીને આમંત્રિત કરવા અંગે પૂછવામાં આવતાં તેમને કહ્યું હતું કે કેમ નહી. વડાપ્રધાન મનમોહન સિંહને આડે હાથ લેતા કહ્યું હતું કે શું તમને લાગે છે કે એક વ્યક્તિ દેશને ચલાવી રહ્યો છે. જો કે તેમને પુછવામાં આવ્યું હતું કે શું કોઇ મહિલા ફરીથી આ દેશના વડાપ્રધાન બનશે.