BJP પ્રત્યે જનતાના મોહભંગથી થોડો દુખી થયો છું: અડવાણી
રાષ્ટ્રીય જનતા દળના કાર્યકારી અધ્યક્ષે કહ્યું હતું કે 'ગત કેટલાક વર્ષોથી હું આ જોઇને વ્યથિત છું કે જનતાનો મૂડ વર્તમાન સત્તારૂઢ સરકારના વિરૂદ્ધ હોવાની સાથે જ ભાજપના પ્રત્યે પણ મોહભંગ વાળી છે.
ભ્રષ્ટાચાર પ્રત્યે ભાજપ પાસે જીરો ટાલરન્સ (ક્યારેય સહન ન કરવાની) આશા રાખનાર અડવાણીએ 'ધ વીક'ને આપેલા ઇન્ટરવ્યુંમાં કહ્યું હતું કે કર્ણાટકના મુદ્દે અમે જે પ્રકારે સામનો કર્યો છે તેનાથી મને વાસ્તવમાં નિરાશા થઇ છે.
આ અંગે તેમને કશું સ્પષ્ટ કહ્યું ન હતું, પરંતુ લાગે છે કે છે કે ભ્રષ્ટાચારનો સામનો કરી રહેલા યેદુયુરપ્પાને મુખ્યમંત્રી પદેથી હટાવ્યા બાદ તે ઘણા સમય સુધી ટાળવાના કારણે તે નારાજ છે.
ગત સપ્તાહે અહીં આયોજીત ત્રણ દિવસીય ભાજપના જમાવડાના સંદર્ભમાં તેમને કહ્યું હતું કે તે ઘણા ભાવુક થઇ ગયા છે અને પોતાની પાર્ટી પ્રત્યે જનતાના મોહભંગથી તે ખુબ દુખી છે. સાથે જ તેમને કહ્યું હતું કે તે ભાજપના ભવિષ્યને લઇને આશાંવિત છે.