For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Russia Ukraine Conflict : ભારત સરકારનો મોટો નિર્ણય, યુક્રેનના ભારતીય દૂતાવાસ હંગામી ધોરણે હટાવાયો

રશિયાના હુમલાએ યુક્રેનમાં ભારે તબાહી મચાવી છે. યુક્રેન પર રશિયાનો હુમલો યુદ્ધના 18મા દિવસે યથાવત છે. રશિયા યુક્રેન પર સતત મિસાઈલ હુમલાઓ કરી રહ્યું છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 13 માર્ચ : રશિયાના હુમલાએ યુક્રેનમાં ભારે તબાહી મચાવી છે. યુક્રેન પર રશિયાનો હુમલો યુદ્ધના 18મા દિવસે યથાવત છે. રશિયા યુક્રેન પર સતત મિસાઈલ હુમલાઓ કરી રહ્યું છે. અહીં ભીષણ યુદ્ધમાં રહેણાંક વિસ્તારોની ઘણી ઇમારતો અને મકાનો ધરાશાયી થયા છે. લોકો ભારે સંકટનો સામનો કરી રહ્યા છે.

Russia Ukraine Conflict

મોટાભાગના ભારતીયોને યુક્રેનમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં રશિયાના આક્રમક હુમલાને જોતા ભારત સરકારે પડોશી દેશ પોલેન્ડમાં યુક્રેનમાં ભારતીય દૂતાવાસની અસ્થાયી રૂપે સ્થાપના કરવાનો મોટો નિર્ણય લીધો છે.

યુક્રેન અને રશિયા વચ્ચેની સ્થિતિમાં સુધરો જોવા મળી રહ્યો નથી. સતત યુદ્ધને કારણે યુક્રેનની સ્થિતિ વધુ કથળી રહી છે. રશિયન સેનાના હુમલાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. યુદ્ધગ્રસ્ત દેશ યુક્રેનમાં અત્યાર સુધીમાં લાખો લોકો બેઘર થઈ ગયા છે. આવી સ્થિતિમાં હવે ભારત સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. યુક્રેનમાં બગડતી પરિસ્થિતિને કારણે ભારત સરકારે અસ્થાયી રૂપે પોતાની એમ્બેસી પરત ખેંચી લીધી છે.

યુક્રેનમાં ભારતીય દૂતાવાસનું કામ હવે કાયમી ધોરણે પોલેન્ડ શિફ્ટ કરવામાં આવશે. ભારત સરકારના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ આ વાતની પુષ્ટિ કરી છે. બાગચીએ જણાવ્યું હતું કે, યુક્રેનમાં ઝડપથી બગડતી સુરક્ષા સ્થિતિ, દેશના પશ્ચિમી ભાગોમાં હુમલાઓને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે કે, યુક્રેનમાં ભારતીય દૂતાવાસને અસ્થાયી ધોરણે પોલેન્ડ ખસેડવામાં આવશે.

English summary
Russia Ukraine Conflict: Indian Government's Big Decision, Indian Embassy in Ukraine Temporarily Removed.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X