રાજ્યસભામાં વિપક્ષના વલણથી સ્પીકર વ્યથિત, ચોધાર આંસુએ રડ્યા વેંકૈયા નાયડુ
રાજ્યસભાના અધ્યક્ષ એમ. વેંકૈયા નાયડુએ બુધવારના રોજગૃહમાં વિપક્ષી સાંસદોના વર્તન પર નારાજગી અને દુઃખ વ્યક્ત કર્યું હતું. નાયડુએ કહ્યું કે, મંગળવારે જે કરવામાં આવ્યું તેનાથી તેમને ઘણું દુઃખ થયું છે.
નવી દિલ્હી : રાજ્યસભાના અધ્યક્ષ એમ. વેંકૈયા નાયડુએ બુધવારના રોજગૃહમાં વિપક્ષી સાંસદોના વર્તન પર નારાજગી અને દુઃખ વ્યક્ત કર્યું હતું. નાયડુએ કહ્યું કે, મંગળવારે જે કરવામાં આવ્યું તેનાથી તેમને ઘણું દુઃખ થયું છે. કેટલાક સભ્યો ટેબલ ઉપર ચઢી ગયા હતા, એક સાંસદે ફાઈલને ખુરશી તરફ ફેંકી દીધી હતી.
નાયડુએ કહ્યું કે, રિપોર્ટ ટેબલને ઘણું સન્માન મળ્યું છે, સભ્યો તેના પર ચઢ્યા. આ બધું જોઈને દુઃખ થાય છે. આ બધું કહીને નાયડુ ભાવુક થઈ ગયા અને તેમની આંખમાં આંસુ સરી પડ્યા હતા.
ઈઝરાયલમાં બનેલા પેગાસસ સોફ્ટવેરનો ઉપયોગ કરીને ભારતમાં ઘણા લોકોની જાસૂસીના કેસમાં તપાસ અને ચર્ચાની માંગણી સાથે વિપક્ષ સંસદમાં સતત હંગામો મચાવી રહ્યો છે. મંગળવારના રોજ પણ કેટલાક સભ્યોએ અવાજ ઉઠાવ્યો હતો, ત્યારબાદ કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી.

રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુએ બુધવારના રોજ કાર્યવાહી શરૂ થતાં જ આનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું, મંગળવારના રોજ ગૃહમાં જે થયું તે લોકશાહી માટે શરમજનક છે. જ્યારે ઘણા સભ્યો ટેબલ પર ચઢી ગયા ત્યારે ગૃહની ગરિમાને ઠેસ પહોંચી હતી. તેનાથી મને એટલું દુઃખ પહોંચ્યું કે હું આખી રાત ઉંઘી શક્યો ન હતો.
રાજ્યસભાના અધ્યક્ષે કહ્યું કે, કોઈ પણ મુદ્દે ચર્ચા થઈ શકે છે, પરંતુ જે રીતે ઉપદ્રવ હતો તે દુઃખ પહોંચાડે છે. તેમણે વિપક્ષને કહ્યું કે, તમે સરકારને શું કરવા અને શું ન કરવા માટે દબાણ કરી શકતા નથી.
ઉલ્લેખનીય છે કે, ચેરમેન મંગળવારના રોજ હંગામો મચાવનાર સાંસદો સામે પણ કાર્યવાહી કરી શકે છે. કોંગ્રેસના સાંસદ પ્રતાપ સિંહ બાજવા પર સીટ તરફ રૂલ બૂક ઉછાળવાનો આરોપ લગાવ્યો છે.
શું છે પેગાસસનો વિવાદ?
વિશ્વના ઘણા મોટા મીડિયા જૂથોએ એક અહેવાલ પ્રકાશિત કર્યો છે અને એવો દાવો કરવામાં આવ્યો છે કે, ઇઝરાયલી કંપનીના જાસૂસી સોફ્ટવેર પેગાસસને ફોનમાં મોકલીને ઘણા દેશોમાં હજારો લોકોની જાસૂસી કરવામાં આવી હતી. તેમાં ભારતનું નામ પણ છે.
ભારતમાં બે મંત્રીઓ, અનેક વિપક્ષી નેતાઓ, પત્રકારો, ન્યાયાધીશો, ઉદ્યોગપતિઓ અને કાર્યકરોનાં નામ સામે આવ્યા છે. આ અંગે વિપક્ષી નેતાઓ સરકાર પાસે જવાબ અને તપાસની માંગ કરી રહ્યા છે.
-
ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર: સરકાર ટેકાના ભાવે જુવાર, બાજરી અને મકાઈની કરશે ખરીદી -
Middle East Crisis પર PM મોદીએ CM સાથે બોલાવી ઈમરજન્સી મીટિંગ, શું છે સરકારનો 7 Empowered Groups પ્લાન? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
